શશી થરૂરે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ નેતાઓ સામે ભેદભાવનો લગાવ્યો આરોપ, કહી આ વાત
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ઉમેદવાર (Congress Presidential Candidate) અને તિરૂવનંતપુરમથી લોકસભાના સાંસદ શશી થરૂરનું દર્દ છલાકાયું છે. તેમણે પાર્ટીના પ્રદેશના નેતાઓ પર ભેદભાવનો આક્ષેપ લગાવતા નેતાઓ દ્વારા તેમની સાથે કરવામાં આવતા ભેદભાવપૂર્ણ વ્યવહાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.ખડગે સાહેબનું થાય છે સ્વાગતકોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શશિ થરૂરે (Shashi Tharoor) ગુરુવારે કહ્યું હતું કે, અનેક
04:30 PM Oct 13, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ઉમેદવાર (Congress Presidential Candidate) અને તિરૂવનંતપુરમથી લોકસભાના સાંસદ શશી થરૂરનું દર્દ છલાકાયું છે. તેમણે પાર્ટીના પ્રદેશના નેતાઓ પર ભેદભાવનો આક્ષેપ લગાવતા નેતાઓ દ્વારા તેમની સાથે કરવામાં આવતા ભેદભાવપૂર્ણ વ્યવહાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ખડગે સાહેબનું થાય છે સ્વાગત
કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શશિ થરૂરે (Shashi Tharoor) ગુરુવારે કહ્યું હતું કે, અનેક પ્રદેશના એકમોમાં તેમના પ્રતિસ્પર્ધી મલ્લિકાર્જુન ખડગેનું સ્વાગત કરવામાં આવે છે અને મોટા નેતાઓ તેમને મળે છે, પરંતુ તેમની સાથે આવું વર્તન કરવામાં આવતું નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓને આ બાબતે કંઈ વાંધો પણ નથી પરંતુ સિસ્ટમમાં ખામીઓ છે કારણ કે પાર્ટીમાં 22 વર્ષથી ચૂંટણી થઈ નથી.
મિસ્ત્રી સાહેસ સામે કોઈ ફરિયાદ નથી
થરૂરે એમ પણ કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના વડા મધુસૂદન મિસ્ત્રીએ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ગુરુવારે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) સાથે બેઠક યોજી અને પોતાના માટે મત માંગ્યા. તેમાં પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત, દિલ્હી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અમૃતા ધવન અને કેટલાક અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
અમને 30મી સપ્ટેમ્બરે પ્રથમ યાદી (ડેલિગેટ કી) આપવામાં આવી હતી અને પછી એક સપ્તાહ પહેલા બીજી યાદી આપવામાં આવી હતી. પ્રથમ યાદીમાં કોઈ ફોન નંબર નહોતો. જો એમ હોય, તો હું કેવી રીતે સંપર્ક કરી શકું? પાછળથી ફોન નંબર મળ્યા. બંને લિસ્ટમાં કેટલાક તફાવત હતા. હું ફરિયાદ નથી કરતો કે તેઓ જાણી જોઈને આવું કરી રહ્યા છે. હું મિસ્ત્રી સાહેબ સામે કંઈ બોલવા માંગતો ન હતો. હું જાણું છું કે મિસ્ત્રીજી મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે બેઠા છે. મને તેમના વિશે કોઈ ફરિયાદ નથી.
તમને નથી લાગતું વર્તનમાં તફાવત છે?
થરૂરે કહ્યું, ઘણા PCC (પ્રદેશ કોંગ્રેસ કમિટી)માં આપણે જોયું કે PCC પ્રમુખ, વિધાનમંડળ પક્ષના નેતા અને ઘણા મોટા નેતાઓ ખડગે સાહેબનું સ્વાગત કરે છે, તેમની સાથે બેસે છે, PCC (પ્રતિનિધિઓ)ને સૂચના આપવામાં આવે છે કે આવો, ખડગે સાહેબ આવો. આવું માત્ર એક જ ઉમેદવાર માટે થયું. મારી સાથે ક્યારેય થયું નથી. આવી ઘણી બાબતો ઘણા PCCમાં બની છે. તેઓ ઘણા PCCમાં ગયા, પરંતુ ત્યાં PCC પ્રમુખ હાજર નહોતા. હું ફરિયાદ નથી કરી રહ્યો. હું એમ નથી કહેતો કે મને બહુ ફરક પડશે. જો તમે પૂછો કે સમાન તક છે, તો શું તમને નથી લાગતું કે આ વર્તનમાં કોઈ તફાવત છે? ગાંધી પરિવાર અને પક્ષના ટોચના સ્તરે તટસ્થતાની વાત થઈ ચૂકી છે અને દરેક વ્યક્તિએ આ ચૂંટણીમાં પોતાની રીતે મતદાન કરવું જોઈએ.
Next Article