Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાઉથ સિનેમા પર અજય દેવગને ફેરવી તોળ્યું કહ્યું- 'તે નોર્થ કલાકારોને પણ કાસ્ટ કરે છે'

અજય દેવગન અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચેની સોશિયલ મીડિયા ટ્વિટર પર ખૂબ જ ધૂમ મચાવી હતી. દરમિયાન, અજયે ફિલ્મ રનવે 34ની પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર દક્ષિણ ભારતીય ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડના 'સિંઘમ' એક્ટર અજય દેવગણ હાલમાં જ પોતાની કેટલીક ટ્વિટ્સને લઈને ખૂબ ચર્ચામાં હતો. અજય દેવગન અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચેની વાતચીતે ટ્વિટર પર ખૂબ જ ધૂમ મચાવી હતી. સુદીપ અન
સાઉથ સિનેમા પર અજય દેવગને ફેરવી તોળ્યું કહ્યું   તે નોર્થ કલાકારોને પણ કાસ્ટ કરે છે
અજય દેવગન અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચેની સોશિયલ મીડિયા ટ્વિટર પર ખૂબ જ ધૂમ મચાવી હતી. દરમિયાન, અજયે ફિલ્મ રનવે 34ની પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર દક્ષિણ ભારતીય ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડના 'સિંઘમ' એક્ટર અજય દેવગણ હાલમાં જ પોતાની કેટલીક ટ્વિટ્સને લઈને ખૂબ ચર્ચામાં હતો. અજય દેવગન અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચેની વાતચીતે ટ્વિટર પર ખૂબ જ ધૂમ મચાવી હતી. સુદીપ અને અજય દેવગનની ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સથી લઈને સેલેબ્સ સુધી તેની પ્રતિક્રિયાઓ આવી હતી. દરમિયાન, ફિલ્મ રનવે 34ની પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર અજય દેવગને દક્ષિણ ભારતીય ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે. અજય દેવગણે પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદનની હવે ચર્ચા થઈ રહી છે.
દક્ષિણમાં કોઈએ તેનો પ્રયાસ કર્યો નથી 
એક મિડિયા રિપોર્ટ અનુસાર, દક્ષિણ ભારતીય ફિલ્મો સાથે જોડાયેલા એક સવાલ પર અજય દેવગને રનવે 34ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'એવું નથી કે ફિલ્મ ત્યાં નથી ચાલી રહી. સાઉથમાં તેમની ફિલ્મને કોઈએ મોટા પાયે રિલીઝ કરવાનો પ્રયાસ કર્યો નથી. જો કોઈ ક્યારેય પ્રયત્ન કરશે તો તે ચોક્કસપણે થશે. ત્યાં (દક્ષિણ ભારતીય) ફિલ્મો પણ સારી છે, અને તેઓ અહીં પણ સારું પ્રદર્શન કરે છે. અમારી ફિલ્મો પણ ચાલી જ રહી છે.
ચાલો નોર્થના કલાકારોને પણ કાસ્ટ કરીએ
અજય દેવગને વધુમાં કહ્યું, 'તે લોકો (દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓ)ની યોજના છે કે અમારે ફિલ્મ ઉત્તરમાં પણ રિલીઝ કરવી છે, તેથી જ તેઓ ઉત્તરના કલાકારોને પણ કાસ્ટ કરે છે. તેઓ આવી સ્ક્રિપ્ટ તૈયાર કરે છે જેથી કરીને સમગ્ર ભારતમાં ફિલ્મો ચાલે. અજય દેવગનના આ નિવેદનો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ફિલ્મની રિલીઝ સાથે અજય દેવગનનો ટોન બદલાઈ ગયો છે. યાદ અપાવી દઈએ કે આ પહેલા કિચા સુદીપ અને અજય દેવગનના ટ્વીટ ખૂબ વાયરલ થયા હતા.

Heropanti 2 સાથે રનવે 34ની ટક્કર
જણાવી દઈએ કે રનવે 34 રીલિઝ થઈ ગઈ છે અને અજય દેવગણે ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. મળતી માહિતી મુજબ, ફિલ્મ રનવે 34 સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફિલ્મ હીરોપંતી 2ને ટક્કર આપી રહી છે. હીરોપંતી 2માં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે.
KGF 3 અને પુષ્પા 2 ની રાહ જોઈ રહ્યાં છીએ
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ભારતીય ફિલ્મોએ પણ નોર્થ બેલ્ટમાં ઘણી કમાણી કરી છે. બાહુબલી સિરીઝ બાદ પુષ્પા, KGF અને RRRના નામ આ લિસ્ટમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે દર્શકો આ ફિલ્મોની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે KGF 3, પુષ્પા 2નો સમાવેશ થાય છે. આ સાથે સાઉથની ઘણી બધી ફિલ્મોની રિમેક પણ બની રહી છે, જે ક્યારેક હિટ તો ક્યારેક ફ્લોપ હોય છે.
 
Advertisement
Tags :
Advertisement

.