Ahmedabad: રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ વટાવી તમામ હદ!
અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી પ્રસિદ્ધ દોસબ્રોસ હોટલમાંથી પથરો નીકળતા એક ગ્રાહકની ફરિયાદ સામે આવી છે. ભોજન દરમ્યાન પથરો મળતા ગ્રાહકને ચોંકી ઉઠ્યો અને આ ઘટના અંગે તાત્કાલિક હોટલ મેનેજમેન્ટને જાણ કરી. દોસબ્રોસ હોટલ તેની સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને...
03:37 PM Oct 11, 2024 IST
|
Hiren Dave
અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી પ્રસિદ્ધ દોસબ્રોસ હોટલમાંથી પથરો નીકળતા એક ગ્રાહકની ફરિયાદ સામે આવી છે. ભોજન દરમ્યાન પથરો મળતા ગ્રાહકને ચોંકી ઉઠ્યો અને આ ઘટના અંગે તાત્કાલિક હોટલ મેનેજમેન્ટને જાણ કરી. દોસબ્રોસ હોટલ તેની સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. તેથી, આવા કિસ્સાથી હોટલની પ્રતિષ્ઠા પર સવાલ ઉભા થાય છે. કસ્ટમર સર્વિસમાં ભૂલો અને સ્વચ્છતાના અભાવને કારણે હોટલના ભવિષ્ય પર અસર થઈ શકે છે. આ ઘટના બાદ હોટલ મેનેજમેન્ટ અને ભોજનની ગુણવત્તા પર અનેક સવાલ ઉભા થયા છે. ભોજનમાં મળેલા પથરને લઈને ગ્રાહકોએ ભોજન સુરક્ષાના માપદંડોની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી છે, જે હોટલ માટે એક ચિંતાનું કારણ છે.
Next Article