Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી ત્રણેય સેના પ્રમુખોને મળ્યા, અગ્નિપથ યોજના અંગે કરી ચર્ચા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં અગ્નિપથ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે બેઠક થઈ હતી.સૌથી પહેલા નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર પીએમ આવાસ પહોંચ્યા. નૌકાદળના વડા સાથેની બેઠક પૂરી થયા પછી, વાયુસેનાના વà
04:50 PM Jun 21, 2022 IST | Vipul Pandya
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં અગ્નિપથ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે બેઠક થઈ હતી.
સૌથી પહેલા નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર પીએમ આવાસ પહોંચ્યા. નૌકાદળના વડા સાથેની બેઠક પૂરી થયા પછી, વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરીને મળ્યા અને છેલ્લે વડા પ્રધાન આર્મી ચીફ જન મનોજ પાંડેને મળ્યા. સિનિયોરિટી પ્રમાણે એક પછી એક બેઠકો યોજાઈ હતી. ત્રણ સેના પ્રમુખોમાં એડમિરલ આર હરિ કુમાર સૌથી વરિષ્ઠ છે. જનરલ પાંડે ત્રીજા નંબર પર છે. વડાપ્રધાન મોદીએ ત્રણેય સેના પ્રમુખોને અલગ-અલગ 30 મિનિટ સુધી મળ્યા હતા.અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાની જાહેરાત 14 જૂને કરવામાં આવી હતી, ત્યારબાદ દેશના વિવિધ ભાગોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ ભૂતકાળમાં ઘણી ટ્રેનો અને બસોને આગ ચાંપી હતી.
પીએમ મોદીની બેઠક પહેલા સેનાના ત્રણેય ભાગો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીએ ફરી એકવાર અગ્નિપથ યોજના અને અગ્નિવીરોની ભરતી પ્રક્રિયાને લઈને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન અધિકારીએ કહ્યું કે સેના નોકરી માટે નથી પરંતુ જોશ અને લાગણી માટે છે. ભરતી પ્રક્રિયા અંગેની આશંકાઓ વચ્ચે, લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા યથાવત રહેશે અને આર્મીમાં પરંપરાગત રેજિમેન્ટ સિસ્ટમ ચાલુ રહેશે.
સૈન્યની ત્રણેય પાંખની એક પ્રેસ કોન્ફરન્સમાં પુરીએ કહ્યું કે અગ્નિપથ યોજના એ ત્રણેય સેવાઓ અને સંરક્ષણ મંત્રાલયની અંદર લાંબા ગાળાના પરામર્શ ઉપરાંત સરકારના કેટલાક વિભાગો વચ્ચેના પરામર્શનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ ખૂબ જરૂરી સુધારા છે.
Tags :
AgneepathYojanaarmychiefsGujaratFirstPMModi
Next Article