શો 'લોક અપ' હિટ થયા બાદ કંગના રનૌતે ફરી કરણ જોહર પર નિશાન સાધ્યું
કંગના રનૌત હંમેશા પોતાના આક્રમક અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશા તેના વિવાદિત નિવેદનો માટે જાણીતી છે. આ વખતે ફરી કંગનાએ બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં હાલમાં જ લોન્ચ થયેલા શો 'લોક અપ'ને ખૂબ જ સારા વ્યૂઝ મળી રહ્યાં છે. આ શો હિટ થયા બાદ કંગનાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ હંમેશની જેમ અનેક લોકો પર નિશાન સાધà
06:48 AM Apr 02, 2022 IST
|
Vipul Pandya
કંગના રનૌત હંમેશા પોતાના આક્રમક અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશા તેના વિવાદિત નિવેદનો માટે જાણીતી છે. આ વખતે ફરી કંગનાએ બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં હાલમાં જ લોન્ચ થયેલા શો 'લોક અપ'ને ખૂબ જ સારા વ્યૂઝ મળી રહ્યાં છે. આ શો હિટ થયા બાદ કંગનાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ હંમેશની જેમ અનેક લોકો પર નિશાન સાધ્યું છે.
બાય ધ વે, આ પોસ્ટમાં કોઇનું નામ લીધા વિના કંગનાએ જોરદાર ટોણો માર્યો હતો. કંગનાએ જણાવ્યું કે તેના 'લોક અપ' શોને 200 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ખુશીમાં કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "લોક-અપના 200મિલિયન વ્યૂઝ આવતા જ આખી ચંગુ મંગુ સેના સાથે તેમના પિતા ચુપચાપ રડશે. આટલા કાવાદાવા પછી પણ, 200M મિલિયન વ્યુઝ મળ્યા છે. અને આગળ શું થશે , પાપા જૉ હવે તમારા રડવાનો વારો આવ્યો છે."
આ પહેલા પણ કંગનાએ શો ટોપ 100માં સામેલ થવા પર પોતાની પોસ્ટમાં ખુશી શેર કરી હતી આ શો હિટ થવા જઈ રહ્યો છે. આ શોને ડિજિટલ મીડિયા પર સારી સફળતા મળી છે. ભૂતકાળમાં ઘણી વખત કંગનાએ કરણ જોહર પર નેપોટિઝમનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. આવી સ્થિતિમાં કંગનાએ ફરી એકવાર કરણ પર ફરી ટોણો માર્યો છે.
Next Article