Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાકાળના 2 વર્ષ બાદ અંબાજીમાં પોષી પુનમના દિવસે ભવ્ય શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞશક્તિપીઠ અંબાજી મંદિરમાં 6 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ હોઈ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહા શક્તિ યજ્ઞ યોજાશે. અંબાજી મંદિરમાં પૂનમના દિવસે સàª
02:07 PM Jan 04, 2023 IST | Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.
ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં 6 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ હોઈ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહા શક્તિ યજ્ઞ યોજાશે. અંબાજી મંદિરમાં પૂનમના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ મંદિરમાં માતાજીને શાકભાજી નો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.
કોરોનાકાળના બે વર્ષ બાદ કાર્યક્રમો યોજાશે
પોષ મહિનામાં આવતી નવરાત્રી શાકંભરી નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી મંદિરના સહયોગથી 6 જાન્યુઆરીના રોજ સવારે શક્તિદ્વારથી ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવશે. કોરોના કાળના 2 વર્ષ બાદ અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાના છે. અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી પણ શણગારવામાં આવ્યું છે.
બે દિવસીય શતચંડી મહાયજ્ઞ શરૂ
અંબાજી ખાતે 6 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ હોઈ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પોષી પૂનમ પર્વને લઈને અંબાજી મંદિરની હવન શાળામાં બે દિવસીય શતચંડી મહાયજ્ઞ શરૂ કરાયો હતો.જેમાં હવન શાળાના બ્રાહ્મણો અને સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો જોડાયા હતા. 4 જાન્યુઆરીના સવારે અંબાજી મંદિરની હવનશાળામાં શતચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો અને આ હવન 5 જાન્યુઆરીના સાંજે પુર્ણ થશે. આ હવનમાં અંદાજે 11 હજાર આહુતિઓ આપવામાં આવશે. અંબાજી મંદિરના હવનશાળાના બ્રાહ્મણો અને સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો મહાયજ્ઞમા જોડાયા હતા.
આ પણ વાંચો - આગામી દિવસોમાં અંબાજી ખાતે 51 શક્તિપીઠનો ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiCulturalProgramGujaratFirstPilgrimageAmbajiprocession
Next Article