Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હત્યા બાદ આફતાબને ના હતો પસ્તાવો કે ડર, આરામથી જમ્યો અને ફિલ્મ જોઇ

શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)માં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબ પૂનાવાલાએ (Aftab Poonawala) દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધાનું કપાયેલું માથું ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખ્યું અને પછી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઠંડીના કારણે માથું બરાબર બળી શક્યું ન હતું. આ પછી, આફતાબે શ્રદ્ધાનું કપાયેલું માથું માટીમાં ઘસીને ફેંકી દીધું જેથà
11:45 AM Nov 17, 2022 IST | Vipul Pandya
શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)માં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબ પૂનાવાલાએ (Aftab Poonawala) દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધાનું કપાયેલું માથું ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખ્યું અને પછી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઠંડીના કારણે માથું બરાબર બળી શક્યું ન હતું. આ પછી, આફતાબે શ્રદ્ધાનું કપાયેલું માથું માટીમાં ઘસીને ફેંકી દીધું જેથી તેને પ્રાણીઓ ખાઈ શકે. સમાચાર મુજબ પૂછપરછ દરમિયાન આફતાબે એ પણ જણાવ્યું છે કે તેને આ બધી માહિતી ઇન્ટરનેટ દ્વારા મળી હતી. તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને જાણ્યું કે હત્યા બાદ લાશનો નિકાલ કેવી રીતે કરવો. દરમિયાન પોલીસે આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરીને ઉંડી તપાસ માટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 
આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવાશે 
નાર્કો ટેસ્ટ માટે આફતાબે સંમતી આપી છે અને કોર્ટે પણ મંજૂરી આપી છે. આફતાબને તપાસ માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ લઇ જવાય તેવી સંભાવના છે. કોર્ટમાં જ્યારે સુનવણી શરુ થઇ ત્યારે વકીલોએ ફાંસી આપો..ફાંસી આપો  તેવા નારા પણ લગાવ્યા હતા. વિડીયો કોન્ફરન્સીગ મારફતે આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. બીજી તરફ લાશના ટુકડા શોધવા માટે સતત ત્રીજા દિવસે પોલીસની ટીમો જંગલમાં પહોંચી હતી. તે વારંવાર પોતાનું નિવેદન પણ બદલતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. 
શંકા ના જાય તે માટે 2 વ્યક્તિનું ફૂડ મંગાવતો
શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબે ભલે હત્યાની કબૂલાત કરી હોય, પરંતુ પોલીસને હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી. જોકે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસે આફતાબ કેસની તપાસને લઈને વધુ એક ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે શ્રદ્ધાની હત્યા બાદ પણ આફતાબ ઘણા મહિનાઓ સુધી બે લોકો માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી આફતાબ હંમેશા ઓનલાઈન ઓર્ડર કરીને 2 લોકો માટે ખાવાનું મંગાવતો હતો. આટલું જ નહીં, જો તેને ચા પીવી હોય તો તે હંમેશા રેડીમેડ ચા મંગાવતો હતો. જેથી તેને ચા માટે દૂધ, ચાની પત્તી અને ખાંડ ખરીદવા બહાર ન જવું પડે. આ કારણે આફતાબ ઓનલાઈન ઓર્ડર કરતો હતો. જેથી તેને વધુ બહાર જવું ન પડે અને તે કોઈ બહારના વ્યક્તિના સંપર્કમાં ન આવે.
17-18 શરીરના અંગો પોલીથીનમાં રાખવામાં આવ્યા હતા
ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર મેહરૌલીના નાળામાંથી હાડકાં મળી આવ્યા છે. બેડ પર શ્રદ્ધાનું ગળું દબાયેલું હતું. પરંતુ ત્યાંથી પણ કંઈ મળ્યું ન હતું. આફતાબની માહિતી પર મેહરૌલીમાં હાડકાં મળી આવ્યા હતા. આફતાબે જણાવ્યું હતું કે તેણે હાડકાં ક્યાં ફેંક્યા હતા, ત્યારપછી રિકવરી થઈ. જો હાડકાના ડીએનએ મેચ થાય તો સ્પષ્ટ થશે કે તેઓ માત્ર શ્રાદ્ધના જ છે. આરોપીઓએ પોલીથીનમાં ફ્રિજમાં શરીરના 17-18 અંગો રાખ્યા હતા. તપાસ કરી તો ફ્રિજમાં થોડો ખાદ્યપદાર્થ હતો. બાકીનું ફ્રિજ સંપૂર્ણપણે સાફ હતું.
મૃતદેહના ટુકડા કરવામાં 10 કલાકનો સમય લાગ્યો હતો
પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યું કે હત્યા બાદ લાશના ટુકડા કરવામાં તેને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. દરમિયાન, જ્યારે તે થાકી ગયો, ત્યારે તેણે આરામ કર્યો. પછી બીયર અને સિગારેટ પીધી અને કલાકો સુધી એ ટુકડાને પાણીથી ધોયા. આ પછી તેણે પોતાના માટે ઓનલાઈન ખાવાનું પણ ઓર્ડર કર્યું અને નેટફ્લિક્સ પર એક ફિલ્મ જોઈ. હત્યા બાદ ફ્લોર પરથી લોહી સાફ કરવા માટે તેણે કેમિકલ અને બ્લીચ પાવડરનો ઉપયોગ કર્યો હતો.
ડાઘા સાફ કરવા બ્લીચ પાવડરનો ઉપયોગ કર્યો
જ્યારે પોલીસે આફતાબને પૂછ્યું કે તેણે લોહી કેવી રીતે સાફ કર્યું તો તેણે કહ્યું કે તેણે શરીરના ટુકડા અને લોહી સાફ કરવા માટે બ્લીચ પાવડરનો ઉપયોગ કર્યો હતો. આફતાબે એ પણ જણાવ્યું કે તેણે ફ્લોર પરના લોહીના ડાઘ સાફ કરવા માટે કેમિકલનો ઉપયોગ કર્યો હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. તેણે બધા ટુકડા જંગલમાં ફેંકી દીધા, પરંતુ અંગૂઠો બીજે ક્યાંક ફેંકી દીધો.
ઘરે આવેલા મિત્રોને પણ શંકા જવા દીધી ન હતી
હત્યા બાદ આફતાબના મિત્રો પણ ઘરે આવ્યા હતા. પરંતુ તે દરમિયાન તેણે શ્રદ્ધાના શરીરના અંગો અન્યત્ર છુપાવી દીધા હતા. આફતાબે પોલીસને જણાવ્યું કે તે આખી રાત શ્રદ્ધાના મૃતદેહ સાથે હતો. તેને ન તો ડર હતો કે ન તો પસ્તાવો. તે લાશની સાથે ફ્લેટમાં સૂઈ ગયો હતો. રાત્રે તેણે રસોડામાં ભોજન ગરમ કરીને ખાધું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો: લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવાની ઉઠી માંગ, 8 રાજ્યોમાં છે કાયદો અમલી
Tags :
AftabPoonawalaDelhiPoliceGujaratFirstLoveJihadShraddhaMurderShraddhaMurderCase
Next Article