વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષમાં ફક્ત એકજ વખત આરતી થાય છે, જાણો આ મંદિરની ખાસ વાતો
પરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ રીતે નિવાસ કરે છે. અને આ જ્યોતના દર્શન માત્રથી ગુરુજીના...
06:10 PM May 25, 2023 IST
|
Vishal Dave
પરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ રીતે નિવાસ કરે છે. અને આ જ્યોતના દર્શન માત્રથી ગુરુજીના વિશેષ આશિષ પ્રાપ્ત થાય છે..સંતરામ મહારાજને દત્તાત્રેયનો અવતાર માનવામાં આવે છે. પ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં કોઇપણ ભગવાનની મૂર્તિ નથી..અહીં માત્ર સંતરામ મહારાજની સમાધિ, અખંડ જ્યોત, ગાદી અને મહારાજની દિવ્ય પાદુકા છે.
Next Article