Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાચી દિશામાં બનાવેલું રસોડું સુખ-શાંતિમાં કરશે વધારો, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં રસોડાનું મહત્વનું સ્થાન છે. રસોડું એ એવી જગ્યા છે જ્યાં પરિવારના તમામ સભ્યો માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર એવું કહેવાય છે કે જો આ સ્થાન પર કોઈ ખામી હોય તો તેની અસર રસોઈ કરનાર ગૃહીણીની સાથે સાથે આખા પરિવાર પર પડે છે. રસોડાની ખોટી દિશા ઘરની સુખ-શાંતિમાં ઘટાડો કરી શકે છે અને ઘરના સભ્યો વચ્ચે ઝઘડો થઈ શકે છે. આ સિવાય જો રસોડામાં ભોજન બનાવતી વખતે ચહેરો યો
07:56 AM Dec 18, 2022 IST | Vipul Pandya
વાસ્તુશાસ્ત્રમાં રસોડાનું મહત્વનું સ્થાન છે. રસોડું એ એવી જગ્યા છે જ્યાં પરિવારના તમામ સભ્યો માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર એવું કહેવાય છે કે જો આ સ્થાન પર કોઈ ખામી હોય તો તેની અસર રસોઈ કરનાર ગૃહીણીની સાથે સાથે આખા પરિવાર પર પડે છે. રસોડાની ખોટી દિશા ઘરની સુખ-શાંતિમાં ઘટાડો કરી શકે છે અને ઘરના સભ્યો વચ્ચે ઝઘડો થઈ શકે છે. આ સિવાય જો રસોડામાં ભોજન બનાવતી વખતે ચહેરો યોગ્ય દિશામાં ન હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાલો જાણીએ ઘરની કઈ દિશામાં રસોડું હોવું જોઈએ અને ગેસનો ચૂલો ક્યાં રાખવો જોઈએ…
વાસ્તુ અનુસાર રસોડાની દિશા
*વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે  નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. 
*વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણીના તત્વોનું યોગ્ય સંતુલન હોવું જોઈએ.
*અગ્નિ સ્ત્રોતોનું સ્થાન દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ.
*રસોડાનું સ્થાન ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ઉપરાંત રસોઈ કરતી વખતે મુખ પૂર્વ તરફ રહેવું જોઈએ
*જ્યારે બેઝિન રસોડાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હોવો જોઈએ.
*પાણીના વાસણો અને વોટર પ્યુરિફાયર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.
*સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે સારું, જગ્યા ધરાવતું અને અવ્યવસ્થા મુક્ત રસોડું જરૂરી છે.
*રસોડામાં બારીઓ હોવી જોઈએ અને રસોડું સારી રીતે વેન્ટિલેટેડ હોવું જોઈએ,જેમાં પૂરતી લાઇટિંગ હોવી જોઈએ.
*આ સિવાય અનાજ રાખવાની જગ્યા રસોડાની પશ્ચિમ અને દક્ષિણ દિવાલો તરફ હોવી જોઈએ.
રસોડામાં ગેસ સ્ટવ પ્લેસમેન્ટ
*વાસ્તુશાસ્ત્ર અનુસાર ગેસનો ચૂલો રસોડામાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ.
*રસોડામાં અગ્નિ તત્વ હોવાને કારણે તે એ ખૂણામાં હોવો જોઈએ જ્યાં અગ્નિ દેવતા હોય છે.
*અને રસોઈ બનાવનાર વ્યક્તિએ પૂર્વ તરફ મુખ કરવું જોઈએ.
*તમારો ગેસ સ્ટવ પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
*વાસ્તુ નિષ્ણાતોના મતે, રસોઈ બનાવતી વખતે જો રસોઈ કરનાર પશ્ચિમ તરફ મુખ કરે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
*બીજી તરફ દક્ષિણ તરફ મુખ કરવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચોઃ જો તમારા પણ પોપોટલાલની જેમ લગ્ન નથી થઈ રહ્યા તો ઘરની આ દિશામાં લગાવો આ ફૂલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
builtDirectionGujaratFirstincreaseproblemskitchenVastuShastravastutips
Next Article