સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ કરી ઘોડેસવારી, અને તીરંદાજી
અમદાવાદ રીવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 15 થી 18 મી સપ્ટેમ્બર સુધી સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ તેમજ યુવારમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ હાજર રહ્યાં હતાં.સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ વિવિધ રà
અમદાવાદ રીવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 15 થી 18 મી સપ્ટેમ્બર સુધી સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ તેમજ યુવારમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ હાજર રહ્યાં હતાં.
સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ વિવિધ રમતોને તાદ્રશ્ય નિહાળી ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી.
સ્પોર્ટ્સ કાર્નિવલના ત્રીજા દિવસે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્નિવલમાં ઘોડે સવારી, ટેબલ ટેનિસ જેવી રમતો પર હાથ પણ અજમાવ્યો હતો. તમામ રમતો રમી અને તીરંદાજી કરી સ્પોર્ટ કાર્નિવલનો આનંદ માણ્યો હતો, આપ્રસંગે રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંધવીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો તથા તમામ હાજર લોકોના અભિવાદન ઝીલતા નજરે પડ્યાં હતાં.
સ્પોર્ટ્સ કાર્નિવલની હાલમાં અમદાવાદમાં રંગેચંગે ઉજવણી થઇ રહ્યી છે. ત્યારે સ્પોર્ટ્સ ની સાથે સાથે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા છે
આપહેલાં આજે અમદાવાદ રિવરફ્રન્ટ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ રંગોળી બનાવવાનો કાર્યક્રમમાં પણ ગૃ રાજ્ય મંત્રી હાજર રહ્યાં હતાં.
Advertisement
વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના જન્મદિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા રાજ્યના ૫૯૦ સ્થળોએ ૫૧ હજારથી વધુ સ્થાને વિવિધ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.. pic.twitter.com/jyctlOypg1
— Harsh Sanghavi (@sanghaviharsh) September 17, 2022