Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ભારતને ઝટકા, આ ખેલાડી થયો બહાર

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાંગ્લાદેશ (Bangladesh)સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. જો કે, આ અંàª
બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ભારતને ઝટકા  આ ખેલાડી થયો  બહાર
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાંગ્લાદેશ (Bangladesh)સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
જાડેજા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI શ્રેણીમાંથી બહાર 
જાડેજા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેઓ હજુ સુધી એકદમ ફિટ થયા નથી. ટેસ્ટ શ્રેણી માટે જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આમાં તેના રમવા પર પણ શંકા છે. જો જાડેજા ફિટ નથી તો ઉત્તર પ્રદેશના સ્પિન બોલર સૌરભ કુમારને ટેસ્ટ મેચ માટે તક આપવામાં આવી શકે છે. પરંતુ BCCIએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
જાડેજા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી
એશિયા કપ 2022માં ભારત અને હોંગકોંગ વચ્ચે દુબઈમાં રમાયેલી મેચ બાદથી જાડેજા ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈજા બાદ તેણે સર્જરી કરાવી છે અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ઓલરાઉન્ડર જાડેજાની એકંદર કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 171 વનડેમાં 189 વિકેટ લીધી છે. આ સાથે 2447 રન પણ બનાવ્યા છે. તેણે 114 ટેસ્ટ ઇનિંગ્સમાં 242 વિકેટ લીધી છે. તેણે 89 ટેસ્ટ ઇનિંગ્સમાં 2523 રન પણ બનાવ્યા છે.
ભારતીય ટીમમાં આ ફેરફાર
ટી20 સિરિઝની આગેવાની હાર્દિક પંડ્યાના હાથમાં હતી તો વન-ડે સિરિઝમાં શિખર ધવન કપ્તાન છે. તે સાથે જ ટીમમાં વધુ ચાર ફેરફાર થયા છે. ભારતીય ટીમની ટી20 સ્કોર્ડમાં સામેલ થયેલા ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાઝના સ્થાને શાર્દૂલ ઠાકુર, કુલદીપ સેન, શહબાઝ અહમદ અને દીપક ચાહરનો સમાવેશ થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.