ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી અમદાવાદ તરફ આવી રહેલી કારને અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના કમકમાટી ભર્યાં મોત થયાં છે.મળતી પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદનો પરિવાર પાલિતાણાથી પરત ફરી રહ્યો હતો ત્યારે આશરે રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થ
06:37 PM Oct 16, 2022 IST
|
Vipul Pandya
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી અમદાવાદ તરફ આવી રહેલી કારને અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના કમકમાટી ભર્યાં મોત થયાં છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદનો પરિવાર પાલિતાણાથી પરત ફરી રહ્યો હતો ત્યારે આશરે રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયાં હતા.
બનાવની જાણ થતાં ઈમર્જન્સી 108નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી તથા વેળાવદર ભાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Next Article