Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદેશમાં અભ્યાસ કરતા 90 ટકા વિદ્યાર્થીઓ ભારતમાં મેડિકલની પરીક્ષા ક્વોલિફાઇ નથી કરી શકતા: કેન્દ્રિય મંત્રી

રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તુરંત દેશમાં લાવવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. પરંતુ સ્થિતિ બદલાતા તેમણે ભારત સરકાર પાસે મદદની માંગણી કરી. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય à
વિદેશમાં અભ્યાસ કરતા 90 ટકા વિદ્યાર્થીઓ ભારતમાં મેડિકલની પરીક્ષા ક્વોલિફાઇ નથી કરી શકતા  કેન્દ્રિય મંત્રી
Advertisement
રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તુરંત દેશમાં લાવવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. પરંતુ સ્થિતિ બદલાતા તેમણે ભારત સરકાર પાસે મદદની માંગણી કરી. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વાપસી માટેના અભિયાન અને યુદ્ધગ્રસ્ત શહેર ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની ઘટના વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું આ વિવાદાસ્પદ નિવેદન લોકો માટે ચર્ચાનો વિષય બની ગયુ છે. જોશીએ દાવો કર્યો છે કે, વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જતા 90 ટકા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં ક્વોલિફાયર પણ પાસ કરી શકતા નથી. જોશીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ અને ખાર્કિવમાં જોરદાર હુમલા કરી રહી છે. જોશીએ કહ્યું કે, દેશના લોકો ભણવા માટે કયા કારણોથી વિદેશમાં જાય છે તે અંગે વાત કરવાનો આ યોગ્ય સમય નથી. જેઓ વિદેશમાં અભ્યાસ કરીને મેડિકલ ડિગ્રી મેળવે છે, તેમણે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સની પરીક્ષા પાસ કરવી પડે છે, તો જ તેમને ભારતમાં સારવાર માટે લાયક જાહેર કરવામાં આવે છે.
ગયા અઠવાડિયે યુક્રેન પર રશિયાના હુમલા બાદથી સતત ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં તેઓ સરકારને પોતાનો જીવ બચાવવા અને સુરક્ષિત ઘરે પરત ફરવાની અપીલ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને પોલેન્ડ, રોમાનિયા માટે ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ દેશોમાં સરહદ પર પણ લાખો લોકો એકઠા થયા છે અને ભારતીય વિદ્યાર્થીઓને હિમવર્ષા વચ્ચે ખુલ્લામાં રાતો વિતાવવી પડી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, યુક્રેનના સુરક્ષાકર્મીઓએ તેમની સાથે ઘણી વખત મારપીટ કરી અને તેમને ટ્રેનમાંથી ફેંકી દીધા છે. બોર્ડર સુધી પહોંચવા માટે પણ વિદ્યાર્થીઓને ઘણા કિલોમીટર સુધી ચાલવું પડે છે, તે પણ શૂન્યથી ઓછા તાપમાનમાં. તેમની પાસે ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા પણ નથી. યુક્રેનના ખાર્કિવ શહેરમાં મંગળવારે રશિયન ઈમારત પર થયેલા હુમલામાં નવીન શેખરપ્પા નામના ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. સરકારની યોજના છે કે આગામી ત્રણ દિવસમાં યુક્રેનના પડોશી દેશોમાંથી 26 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે દેશમાં લાવી શકાય.
એક અંદાજ મુજબ દર વર્ષે 20 થી 25 હજાર મેડિકલ વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે, વ્યક્તિએ NEET પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. દર વર્ષે સાતથી આઠ લાખ વિદ્યાર્થીઓ અહીં NEET લાયક ઠરે છે. વળી, સમગ્ર દેશમાં માત્ર 90 હજારથી થોડી વધુ મેડિકલ સીટો છે. આમાંની અડધાથી થોડી વધુ બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં છે જ્યાંથી શિક્ષણ સસ્તું છે, પરંતુ જો તમે NEET માં સારો સ્કોર મેળવો તો જ ત્યાં પ્રવેશ મેળવી શકાય છે. ખાનગી કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠકોમાં પ્રવેશ માટે પણ NEETમાં ઉચ્ચ સ્કોર જરૂરી છે. જો સ્કોર ઓછો હોય તો ખાનગી કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠકો પર પ્રવેશ આપવામાં આવતો નથી અને મેનેજમેન્ટ ક્વોટામાંથી પ્રવેશ ફી ખૂબ જ વધી જાય છે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×