Uttarakhand માં Heavy rains થી 9 લોકોના મોત
ઉત્તર ભારતમાં ચોમાસું જામ્યું જ નહીં, પરંતુ હવે વિનાશ વેરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિત પંજાબ-દિલ્હીમાં ભારે વરસાદને કારણે રસ્તા સહિત રહેવાસી વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જ્યારે નદીઓમાં ઘોડાપુરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો શહેરો અને ગામડાઓથી...
Advertisement
ઉત્તર ભારતમાં ચોમાસું જામ્યું જ નહીં, પરંતુ હવે વિનાશ વેરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિત પંજાબ-દિલ્હીમાં ભારે વરસાદને કારણે રસ્તા સહિત રહેવાસી વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જ્યારે નદીઓમાં ઘોડાપુરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો શહેરો અને ગામડાઓથી વિખૂટા પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, પરંતુ સૌથી મોટી નદીઓ ગંગા, યમુનામાં વધતા પાણીના સ્તરથી રાજ્યના નાગરિકો અને પ્રશાસનનો જીવ પડીકે બંધાઈ ગયો છે.અત્યાર સુધીમાં અલગ અલગ હિસ્સામાં વરસાદ સંબંધિત આફતથી 9 લોકોનાં મોત થયા છે
Advertisement