દિવાળીના તહેવારોમાં 75 હજાર યુવાઓને મળી નોકરી, PM MODIની ગિફ્ટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે ધનતેરસના પવિત્ર દિવસે 'રોજગાર મેળા' (Employment Fair)ની શરૂઆત કરી, જે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ 75,000 લોકોને નિમણૂક પત્રો આપ્યા હતા.75 હજાર યુવાનોને નિમણૂક પત્ર પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા 8 વર્ષથી દેશમાં જે રોજગાર અને સ્વરોજગારનું અભિયાન ચ
07:20 AM Oct 22, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે ધનતેરસના પવિત્ર દિવસે 'રોજગાર મેળા' (Employment Fair)ની શરૂઆત કરી, જે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ 75,000 લોકોને નિમણૂક પત્રો આપ્યા હતા.
75 હજાર યુવાનોને નિમણૂક પત્ર
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા 8 વર્ષથી દેશમાં જે રોજગાર અને સ્વરોજગારનું અભિયાન ચાલી રહ્યું છે, આજે તેમાં વધુ એક કડી જોડાઈ છે. આ કડી રોજગાર મેળાની છે. આજે કેન્દ્ર સરકારે 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે.
આત્મનિર્ભર ભારતના માર્ગે
વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતા માટે અમે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. જેમાં અમારા સંશોધકો, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સેવાઓ અને ઉત્પાદન સાથે સંકળાયેલા સહકર્મીઓની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે આજે કેન્દ્ર સરકારના વિભાગોમાં આટલી તત્પરતા અને એટલી ક્ષમતા આવી છે ,જેની પાછળ સાથી 8 વર્ષની ભારે મહેનત છે અને કર્મયોગીઓનો સંકલ્પ છે.
આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં આપણે 10માં નંબરથી 5મા નંબર પર પહોંચી ગયા છીએ. આ શક્ય એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા 8 વર્ષમાં આપણે દેશની અર્થવ્યવસ્થાની એ ખામીઓને દુર કરી છે જે અવરોધરુપ હતી.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
યુવાનોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે અમારો સૌથી વધુ ભાર યુવાનોના કૌશલ્ય વિકાસ પર છે. 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ, ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર યુવાનોને તાલીમ આપવા માટે દેશમાં એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે. અમે દેશની યુવા વસ્તીને અમારી સૌથી મોટી તાકાત માનીએ છીએ. આઝાદીના અમૃત કાળમાં વિકસિત ભારત બનાવવા પાછળનું પ્રેરક બળ આપણા યુવાનો છે.
ખાદી અને ગ્રામોદ્યોગ
વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં ગ્રામીણ વિસ્તારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર સર્જનનું બીજું ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. તેમણે કહ્યું કે ખાદી અને ગ્રામોદ્યોગ દેશમાં પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયા છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોમાં એક કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આમાં પણ મોટી સંખ્યામાં બહેનો હિસ્સો ધરાવે છે.
PM મોદીએ આત્મનિર્ભર ભારત પર શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાને સમગ્ર વિશ્વમાં દેશના યુવાનોની ક્ષમતા સ્થાપિત કરી છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટ-અપ હતા, આજે આ સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં દેશનું સૌથી મહત્વાકાંક્ષી મિશન મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત છે. તેમણે કહ્યું કે આજે દેશ અનેક બાબતોમાં મોટા આયાતકારમાંથી મોટા નિકાસકાર બની રહ્યો છે. આવા ઘણા ક્ષેત્રો છે જેમાં ભારત આજે વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
Next Article