Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, મહાશક્તિ યજ્ઞમાં બેસવા કરાવી શકાશે નોંધણી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી . અંબાજીમાં 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. પાંચ દિવસના પરિક્રમા મહોત્સવમાં મહાશક્તિ યજ્ઞમાં બેસવા માટે યજમાન પદે નોંધણી માટે ટ્રસ્ટ તરફથી શરૂઆત કરાઈ છે. યજ્ઞની નોંધણી માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી અને ગબ્બર 51 શક્તિપીઠ કાર્યાલય ખાતે સંપર્ક કરી શકાશે. અંબà
અંબાજીમાં યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ  મહાશક્તિ યજ્ઞમાં બેસવા કરાવી શકાશે નોંધણી
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી . અંબાજીમાં 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. પાંચ દિવસના પરિક્રમા મહોત્સવમાં મહાશક્તિ યજ્ઞમાં બેસવા માટે યજમાન પદે નોંધણી માટે ટ્રસ્ટ તરફથી શરૂઆત કરાઈ છે. 
યજ્ઞની નોંધણી માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી અને ગબ્બર 51 શક્તિપીઠ કાર્યાલય ખાતે સંપર્ક કરી શકાશે. અંબાજી મંદિરથી 3 કીલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલ છે. ગબ્બર પર્વતની આસપાસ 51 શક્તિપીઠ નું નિર્માણ કરવામાં આવેલું છે. દેશમાં આવેલા  51 શક્તિપીઠોના દર્શન એક સાથે એક જ જગ્યા પર થઈ શકે તે માટે અહીં ગબ્બર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 
અંબાજી આવતા માઈ ભક્તો અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ, ગબ્બરની અખંડ જ્યોતના દર્શન કર્યા બાદ ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર 51 શક્તિપીઠ પર આવેલા વિવિધ શક્તિપીઠો ના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 51 શક્તિપીઠ નું 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 
નવરાત્રીમાં અને પૂનમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં અહીં 51 શક્તિપીઠના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ આગામી મહિને યોજાનાર છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો યજ્ઞમાં યજમાન તરીકે ભાગ લઈ શકે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી નોંધણીની શરૂઆત કરાઈ છે. નોંધણી માટે નક્કી કરાયેલી રકમ આ પ્રમાણે છે 
1)ગબ્બર ટોચ પર 51 હજાર રૂપિયા
2) 51શક્તિપીઠના 10 મંદિર સંકુલમાં બેસવા માટે 21 હજાર રૂપિયા
3)અન્ય સંકુલ માં બેસવા માટે 11 હજાર રૂપિયા
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર રાવલે જણાવ્યું હતું કે, આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં રાજ્ય સરકારની સીધી દેખરેખ રહેશે. જેથી યાત્રાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને એમને એક યાદગાર અનુભવ મળે એ પ્રકારનું આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર. એન. પંડયા, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી આર.આઈ.શેખ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.