Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તવાંગ સેક્ટરમાં ભારતીય જાંબાજોએ 300 ચીની સૈનિકોનો પીછો કરીને ખદેડ્યા

LAC પર ભારતીય સૈનિકો (Indian soldiers)એ ફરી એકવાર ચીન (China)ના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યો છે. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના યાંગત્સે વિસ્તારમાં 17 હજાર ફૂટની ઉંચાઈએ તવાંગ સેક્ટરમાં પૂરી તૈયારી સાથે પહોંચેલા ચીની સૈનિકોને અંદાજ ન હતો કે ભારતીય સૈનિક તેમનો પીછો કરશે. ભારતીય સૈનિકોએ પોસ્ટ પણ બચાવીસેનાના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીને પોતાના 300 સૈનિકો સાથે ગાલવાન અથડામણનું પુનરાવર્તન કરવા મàª
02:29 AM Dec 13, 2022 IST | Vipul Pandya
LAC પર ભારતીય સૈનિકો (Indian soldiers)એ ફરી એકવાર ચીન (China)ના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યો છે. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના યાંગત્સે વિસ્તારમાં 17 હજાર ફૂટની ઉંચાઈએ તવાંગ સેક્ટરમાં પૂરી તૈયારી સાથે પહોંચેલા ચીની સૈનિકોને અંદાજ ન હતો કે ભારતીય સૈનિક તેમનો પીછો કરશે. 
ભારતીય સૈનિકોએ પોસ્ટ પણ બચાવી
સેનાના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીને પોતાના 300 સૈનિકો સાથે ગાલવાન અથડામણનું પુનરાવર્તન કરવા માટે કાવતરું ઘડ્યું હતું. ભારતીય સૈનિકોએ કાંટાળી લાકડીઓ અને સળિયાઓ સાથે આવેલા ચીની સૈનિકોનો ન માત્ર પીછો કર્યો પરંતુ તેમની પોસ્ટ પણ બચાવી લીધી. આ અથડામણમાં ભારતીય પક્ષના ઓછામાં ઓછા 6 સૈનિકો ઘાયલ થયા છે. જ્યારે ચીની કેમ્પમાં આ સંખ્યા વધુ હોવાની શક્યતા છે. જો કે પીએલએએ ભારતીય સેના સાથે આ અંગે કોઈ માહિતી શેર કરી નથી.

ચીની સૈનિકોના મનસૂબા પર પાણી ફેરવ્યું
 9 ડિસેમ્બરે ચીની સૈનિકો તવાંગ સેક્ટરમાં ભારતીય ચોકીને હટાવવા પહોંચ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય માત્ર તવાંગ સેક્ટરની પોસ્ટ પર તોફાન કરવાનો ન હતો, તેઓ લાઠીઓ અને કાંટાળા સળિયા સાથે ભારતીય જવાનો સાથે અથડામણ કરવાના ઈરાદા સાથે આવ્યા હતા. પરંતુ, ચીની સૈનિકોની નાપાક યોજનાઓ સફળ ન થઈ અને ભારતીય સેનાએ તેમનો પીછો કર્યો. સોમવારે જ્યારે ભારતીય સેનાએ આ માહિતી આપી ત્યારે સમગ્ર દેશમાં ફરી એકવાર ગલવાન અથડામણની યાદો તાજી થઈ ગઈ. ચીનનું નાપાક કાવતરું ફરી એકવાર સામે આવ્યું છે. આ મામલાથી વાકેફ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અથડામણ સમયે ચીનના 300 સૈનિકો હાજર હતા. ભારતીય ચોકીને હટાવવા માટે પીએલએના સૈનિકો પૂરી તૈયારી સાથે પહોંચ્યા હતા.

ચીન ગાલવાન અથડામણનું પુનરાવર્તન કરવા માંગતું હતું
ભારતીય સેના અને પીએલએ મે 2020 થી પૂર્વી લદ્દાખમાં LAC સાથે અવરોધમાં છે. જૂન 2020 માં, લદ્દાખ સેક્ટરની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી અને બંને દેશના સૈનિકો સામ-સામે આવ્યા હતા. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીનીઓએ દાવો કર્યો છે કે તેમની બાજુમાં ચાર જાનહાનિ થઈ છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંખ્યા ઘણી વધારે હતી, જેને ચીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
તવાંગમાં અથડામણ લાંબો સમય ચાલી નહીં
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ લાંબી ચાલી ન હતી. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અથડામણ બાદ બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી હટી ગયા હતા. આ વિસ્તારમાં ભારતીય કમાન્ડરે શાંતિ પુનઃસ્થાપિત કરવા આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ પણ કરી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે.

તવાંગ સેક્ટર ક્યારથી મડાગાંઠનું કારણ બન્યું?
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે LAC સાથે તવાંગ સેક્ટરમાં બે સેનાઓ વચ્ચે 2006 થી મડાગાંઠ જોવા મળી હતી. તેની પાછળનું કારણ સરહદને લઈને તેમના સંબંધિત દાવાઓ છે. જો કે, મડાગાંઠ ટાળવા માટે, બંને સેનાઓ તેમના દાવાની સરહદ પર પેટ્રોલિંગ કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો : અફઘાનની ચાઈનિઝ હોટલ પર આતંકી હુમલો, આતંકીઓએ મચાવી તબાહી
Tags :
ArunachalpradeshChinaGujaratFirstIndia
Next Article