Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આસામમાં અલ-કાયદાના 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, અનેક મહત્વના ખુલાસા

એસપી રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે કલાકોની પૂછપરછ બાદ બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમને જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઈનપુટ મળ્યા, જે જેહાદી તત્વો સાથે પણ સંકળાયેલો છે. જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઇનપુટ મળ્યા આસામ પોલીસે ગોલપારામાંથી અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) આતંકવાદી જૂથો સાથે જોડાયેલàª
11:17 AM Aug 21, 2022 IST | Vipul Pandya
એસપી રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે કલાકોની પૂછપરછ બાદ બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમને જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઈનપુટ મળ્યા, જે જેહાદી તત્વો સાથે પણ સંકળાયેલો છે. 

જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઇનપુટ મળ્યા 
આસામ પોલીસે ગોલપારામાંથી અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) આતંકવાદી જૂથો સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ અબ્દુસ સુભાન, મોરનોઈ પોલીસ સ્ટેશન હેઠળની તિનકુનિયા શાંતિપુર મસ્જિદના ઈમામ અને ગોલપારાના મતિયા પોલીસ સ્ટેશન હેઠળના તિલપારા નટુન મસ્જિદના ઈમામ જલાલુદ્દીન શેખ તરીકે કરવામાં આવી છે. ગોલપારા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે કલાકોની પૂછપરછ પછી બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. એસપીએ કહ્યું, “અમને આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઇનપુટ મળ્યા છે, કે તે જેહાદી તત્વો સાથે પણ જોડાયેલો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ આસામમાં AQIS/ABTના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધા જોડાયેલા હતા.
ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓના ઘરની તલાશી દરમિયાન અલ-કાયદા, જેહાદી તત્વો સાથે જોડાયેલી ઘણી ગુનાહિત સામગ્રીઓ મળી આવી છે. જેમાં પોસ્ટર, પુસ્તકો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

'બાંગ્લાદેશી આતંકવાદીઓને પણ આશરો મળ્યો'
રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ બાંગ્લાદેશથી અહીં આવેલા જેહાદી આતંકવાદીઓને પણ આશ્રય આપ્યો હતો. “ હજુ પણ આ બાંગ્લાદેશી નાગરિકો ફરાર છે અને ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ તે આતંકવાદીઓને ગોલપારામાં આશ્રય આપ્યો હતો. આ શકમંદોએ ડિસેમ્બર 2019 માં મતિયા પોલીસ સ્ટેશન હેઠળના સુંદરપુર તિલપારા મદરેસામાં એક ધર્મસભાનું આયોજન કર્યું હતું, જ્યાં AQIS સાથે જોડાયેલા ઘણા બાંગ્લાદેશી નાગરિકોને બોલાવવામાં આવ્યા હતા. 
Tags :
AlQaedaAssamPoliceGujaratFirstTerroristArrested
Next Article