Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીની શરાબ નીતિ બનાવનારા 2 અધિકારીઓ સસ્પેન્ડ

દિલ્હી (Delhi)ની આમ આદમી પાર્ટીની સરકાર (AAP Govt)ની નવી આબકારી નીતિ (Delhi Excise Case) મામલે રાજકીય ગરમાવા વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના (Vinai Kumar Saxena)ની ભલામણ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તત્કાલિન આબકારી કમિશ્નર આરવ ગોપી કૃષ્ણ (Aarav Gopi Krishna) અને ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ કુમાર (Anand Kumar)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક્સાઇઝ કૌભાંડમાં બંને અધિકારીઓના નામ હતા અને 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ (CBI)  બંનà
02:30 AM Aug 23, 2022 IST | Vipul Pandya
દિલ્હી (Delhi)ની આમ આદમી પાર્ટીની સરકાર (AAP Govt)ની નવી આબકારી નીતિ (Delhi Excise Case) મામલે રાજકીય ગરમાવા વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના (Vinai Kumar Saxena)ની ભલામણ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તત્કાલિન આબકારી કમિશ્નર આરવ ગોપી કૃષ્ણ (Aarav Gopi Krishna) અને ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ કુમાર (Anand Kumar)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક્સાઇઝ કૌભાંડમાં બંને અધિકારીઓના નામ હતા અને 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ (CBI)  બંનેના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
મહિનાની શરૂઆતમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ વિજિલન્સને ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સ (DoV) ના તપાસ રિપોર્ટના આધારે 11 અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ તમામ અધિકારીઓ પર દિલ્હીની નવી આબકારી નીતિ (2021-22) ઘડવામાં અને લાગુ કરવામાં નિયમોની અવગણના કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા હતી અને પસંદગીના વિક્રેતાઓને લાભ આપવામાં આવ્યા હતા.વિજિલન્સ ડિરેક્ટોરેટના રિપોર્ટમાં એકંદર અનિયમિતતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એલજીએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ઇકોનોમિક ઓફેન્સ વિંગ પણ આ મામલે તપાસ કરી રહી છે.
આરવ ગોપી કૃષ્ણ અને આનંદ કુમાર ઉપરાંત એલજીએ ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી, આસિસ્ટન્ટ કમિશનર પંકજ ભટનાગર, નરેન્દ્ર સિંહ અને નીરજ ગુપ્તા, સેક્શન ઓફિસર કુલજીત સિંહ અને સુભાષ રંજન, સુમન, ડીલિંગ હેડ સત્યવર્ત ભાર્ગવ, સચિન સોલંકી અને ગૌરવ માન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એલજી દ્વારા કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી.
સીબીઆઈએ જણાવ્યું હતું કે એજન્સી એક્સાઈઝ કૌભાંડ કેસમાં સાત રાજ્યોમાં દરોડા પાડી રહી છે. FIRમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ચાર હસ્તીઓના નામ સામેલ છે. તાજેતરમાં, સીબીઆઈએ દિવસભર મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા અને એજન્સી દ્વારા તેમના લેપટોપ-મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા બાદ દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. કોંગ્રેસે પણ આ મામલે AAPને ઘેરી છે. મનીષ સિસોદિયાએ તો એવો પણ દાવો કર્યો છે કે તેમને કેટલાક મેસેજ મળ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં જોડાઓ, ED-CBI તપાસ બંધ કરી દેવામાં આવશે અને તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
Tags :
DelhiExciseScamGujaratFirstLiquorPolicysuspend
Next Article