Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૈન સમાજના તેરાપંથીના 11માં રાષ્ટ્રીય આચાર્ય અંબાજી ખાતે પહોંચ્યા, અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ગબ્બર ખાતે તાજેતરમાં ગબ્બર 51 શક્તિપીઠ મહોત્સવ તàª
07:18 AM Feb 19, 2023 IST | Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
અંબાજી ગબ્બર ખાતે તાજેતરમાં ગબ્બર 51 શક્તિપીઠ મહોત્સવ તાજેતરમાં પૂર્ણ થયો છે ત્યારે આજે વહેલી સવારે જૈન સમાજ તેરાપંથીના 11 માં રાષ્ટ્રીય આચાર્ય મહાશ્રમણજી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો રાજસ્થાનમાં ચાતુર્માસ પૂર્ણ કરીને તેઓ છાપરી સરહદ થી ગુજરાતમાં પ્રવેશ કર્યો. પ્રથમ ઐતિહાસિક ક્ષણ જૈન સમાજના તેરાપંથીના કોઈ આચાર્ય 265 વર્ષ બાદ ગુજરાતમાં આ માર્ગેથી પ્રવેશ કર્યો હતો અંબાજી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજીથી શક્તિપીઠ થી સાત કિલોમીટર દૂર રાજસ્થાન તરફ છાપરી સરહદ ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દેશભરમાંથી ઉમટી પડ્યા હતા. આજે વહેલી સવારે 8:30 વાગે જૈન સમાજના રાષ્ટ્રીય પ્રમુખ આચાર્ય મહાશ્રમણજી જ્યારે તેઓ છાપરી સરહદ ઉપર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જૈન સમાજ દ્વારા વિવિધ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા,ત્યારબાદ તેઓ છાપરી સરહદ થી અંબાજી મંદિર સુધી ચાલતા આવ્યા હતા અને જગ્યા જગ્યા ઉપર મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અંબાજી મંદિરમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 
ગુજરાતના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ પણ તેમનું સ્વાગત કરવા માટે આજે આવ્યા હતા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તેમને દર્શન કર્યા હતા અને તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી. આબુરોડ થી અંબાજી ના માર્ગ પર જગ્યા જગ્યા પર સ્વાગત કરતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ વિશાળ સભા અંબાજીની ચૌધરી ધર્મશાળામાં યોજાઇ હતી જેમાં પણ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આચાર્ય મહા શ્રમણજીએ જણાવ્યું હતું કે રાજસ્થાન છોડીને અમે આજે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે. આગામી દિવસ સુધી ગુજરાતનો અમારો પ્રવાસ રહેશે. સતભાવના,નશા મુક્તિ, અને અહિંસા અહી જોવા મળી રહી છે. 2023 નો ચાતુર્માસ અમે મુંબઈ ખાતે કરવાના છીએ. અંબાજી જૈન સમાજ અને અંબાજી ખાતે રહેતાઅન્ય સમાજ દ્વારા મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કરવામા આવ્યું હતું.
આ પણ વાંચોઃ  અંબાજી મંદિરમાં ભગવાન શિવની પાલખી યાત્રા પહોંચી, શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiGujaratFirstJainSamajTerapantiPresidentwelcome
Next Article