10માં ધોરણના વિદ્યાર્થીએ લખ્યું, પુષ્પા રાજ...અપુન લીખેગા નહી
10માં ધોરણમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ પ્રશ્નપત્રમાં એવું કંઇક લખ્યું હતું કે તમને હસવું આવી જશે. આ વિદ્યાર્થીએ પોતાની આન્સરશીટમાં લખી નાંખ્યું હતું કે પુષ્પા રાજ..અપુન લીખેગા નહી. સોશિયલ મીડિયામાં આ આન્સરશીટ વાયરલ થઇ હતી. લોકોના મગજમાંથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થયેલી અસર હજું ઉતરી નથી. જયારથી ફિલ્મ રજૂ થઇ છે ત્યારથી જ લોકો સોશિયલ મીડિયામાં પુષ્પાના સંવાદો અને ગ
10માં ધોરણમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ પ્રશ્નપત્રમાં એવું કંઇક લખ્યું હતું કે તમને હસવું આવી જશે. આ વિદ્યાર્થીએ પોતાની આન્સરશીટમાં લખી નાંખ્યું હતું કે પુષ્પા રાજ..અપુન લીખેગા નહી. સોશિયલ મીડિયામાં આ આન્સરશીટ વાયરલ થઇ હતી.
લોકોના મગજમાંથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થયેલી અસર હજું ઉતરી નથી. જયારથી ફિલ્મ રજૂ થઇ છે ત્યારથી જ લોકો સોશિયલ મીડિયામાં પુષ્પાના સંવાદો અને ગીતો પર રીલ બનાવી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. લગ્ન હોય કે કોઇ પણ સામાજીક પ્રસંગ હોય, દરેક સ્થળો પર પુષ્પાના ગીતોની અસર જોવા મળી રહી છે. પુષ્પાનો ડાયલોગ ઝુકેગા નહી, ખુબ જ લોકપ્રિય થયો છે અને લોકો તેના પર રીલ બનાવી રહ્યા છે, સાથે સાથે શ્રીવલ્લી ગીત પણ વ્યાપક લોકપ્રિય બન્યું છે અને તેના પર લોકો રીલ બનાવી રહ્યા છે અને પુષ્પાની ગહેરી અસર લોકોના દિલોદિમાગમાં થઇ હોવાનું જોવા મળ્યું છે.
Advertisement
answer sheet me v pushpa raj🤣🤣 pic.twitter.com/3RVwDwB4to
— Manoj Sarkar (@manojsarkarus) April 4, 2022
જો કે હજું પણ આ ફિલ્મની અસર લોકોના મગજમાં છે. 10માં ધોરણના એક વિદ્યાર્થીએ એવું કંઇક કર્યું છે કે તમને હસવું આવી જશે. આ વિદ્યાર્થીએ પોતાની આન્સરશીટમાં લખ્યું હતું કે પુષ્પા, પુષ્પારાજ..અપુન લીખેગા નહી. સોશિયલ મીડિયામાં આ આન્સરશીટ વાયરલ થઇ છે.વાયરલ આન્સરશીટ પશ્ચીમ બંગાળની હોવાનું મનાઇ રહ્યું છે. આન્સરશીટ જોનાર દરેક વ્યક્તિ હસી રહ્યો છે. નાના વિદ્યાર્થીઓ પર પણ ફિલ્મની કેવી અસર પડી છે તે આ દર્શાવે છે.