નાસિક પાસે જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, બચાવ-રાહત કાર્ય શરુ
મહારાષ્ટ્રમાં નાસિક નજીક રવિવારે બપોરે લોકમાન્ય તિલક ટર્મિનલ-જયનગર એક્સપ્રેસ (એલટીટી-જયનગર એક્સપ્રેસ)ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના નાસિક રોડ રેલવે સ્ટેશનથી આગળ લહવિત અને દેવલાલી નજીક બની હતી. જેની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાના કારણે ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી છે.સેન્ટ્રલ રેલ્વેએ ટ્વિટ કરીને આ અà
મહારાષ્ટ્રમાં નાસિક નજીક રવિવારે બપોરે લોકમાન્ય તિલક ટર્મિનલ-જયનગર એક્સપ્રેસ (એલટીટી-જયનગર એક્સપ્રેસ)ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના નાસિક રોડ રેલવે સ્ટેશનથી આગળ લહવિત અને દેવલાલી નજીક બની હતી. જેની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાના કારણે ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલ્વેએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. રેલ્વેના જણાવ્યા અનુસાર 11061 એલટીટી-જયનગર એક્સપ્રેસના કેટલાક ડબ્બા લગભગ 3.15 વાગ્યે લહવીત અને દેવલાલી (નાસિક નજીક) વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. જો કે મેડિકલ ટીમ અને સંબંધિત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
Advertisement
Visuals of derailed coaches of 11061 LTT-Jaynagar Express between Lahavit and Devlali (near Nashik) on Dn line at around 15.10 hrs today Accident relief train and medical van rushed to the spot. Details awaited: Central railway CPRO pic.twitter.com/nXA0hvTw0I
— ANI (@ANI) April 3, 2022
જયનગર એક્સપ્રેસ સવારે 11.30 વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી નાસિક જવા રવાના થઈ હતી. જ્યારે તે બપોરે 3 વાગ્યે દેવલાલી (નાસિક નજીક) પહોંચી ત્યારે ડાઉન લાઇન ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે દ્વારા કહેવામાં આવ્યું થે કે આ વિશે માહિતિ મંગવાઇ છે. સાથે જ આ ઘટના અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ઔરંગાબાદમાં માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
આ પહેલા શનિવારે સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના દૌલતાબાદ યાર્ડમાં માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આ રૂટ પર લગભગ ચાર કલાક સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 8 વાગ્યે બની હતી અને ચાર કલાક પછી જ ટ્રેક પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.