દિલનો ટુકડો
“મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા?” ચિરાગના નિષ્પ્રાણ દેહ પર હૈયાફાટ રુદન કરતા જ્યોતિ બોલતી ગઈ.“માહીને લાડ કરતા તમે જ કહેતા હતા ચિરાગ, આ તો મારા દિલનો ટુકડો..” જ્યોતિ તું એને બહુ લડયા ના કરીશ, “દીકરી તો પારકી થાપણ અને બાપના ઘરની આબરૂ કહેવાય.' એવું કહીને તમે જ એને છાવરતા.આજે એ આપણી આબરૂના ધજાગરા ઊડાડી વિધર્મીને ત્યાં દોરવાઈ ગઈ. એ જ સમયે માહી વિધર્મીના ઘરમાંથી એમની બાતમીઓ પોતાના સà«
04:27 AM Jul 11, 2022 IST
|
Vipul Pandya
“મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા?” ચિરાગના નિષ્પ્રાણ દેહ પર હૈયાફાટ રુદન કરતા જ્યોતિ બોલતી ગઈ.
“માહીને લાડ કરતા તમે જ કહેતા હતા ચિરાગ, આ તો મારા દિલનો ટુકડો..”
જ્યોતિ તું એને બહુ લડયા ના કરીશ, “દીકરી તો પારકી થાપણ અને બાપના ઘરની આબરૂ કહેવાય." એવું કહીને તમે જ એને છાવરતા.
આજે એ આપણી આબરૂના ધજાગરા ઊડાડી વિધર્મીને ત્યાં દોરવાઈ ગઈ. એ જ સમયે માહી વિધર્મીના ઘરમાંથી એમની બાતમીઓ પોતાના સુપ્રીમોને પાઠવી રહેલી.
- પ્રિયંકા સોની
Next Article