યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી જાળવણી અભાવે બિસ્માર
યાત્રાધામ શામળાજી (Shamlaji ) ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણી ના અભાવે બિસ્માર બની છે 10 મી સદીની આ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી નષ્ટ થતા બચાવાય તેવું સ્થાનિકોની સાથે પુરાતત્વવિદ ઈચ્છી રહયા છે 10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની ચોરી યાત્રાધામ શામળાજી ખાતે ઈસ્વીસન 10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની ચોરી આવેલી છે. દંત કથા મુજબ આ સ્થળે સત્યવાદી à
યાત્રાધામ શામળાજી (Shamlaji ) ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણી ના અભાવે બિસ્માર બની છે 10 મી સદીની આ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી નષ્ટ થતા બચાવાય તેવું સ્થાનિકોની સાથે પુરાતત્વવિદ ઈચ્છી રહયા છે
10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની ચોરી
યાત્રાધામ શામળાજી ખાતે ઈસ્વીસન 10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની ચોરી આવેલી છે. દંત કથા મુજબ આ સ્થળે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા હતા ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર હાલ યોગ્ય જાળવણી અને મરામત અભાવે નષ્ટ થવાના આરે ઉભી છે. આ પ્રાચીન સ્મારક ઉપર ઝાડી ઝાખરા પણ ઉગી ગયા છે.ઉપરાંત સ્મારકના પથ્થરો કાળા પડી જઈ અનેક ઠેકાણે તૂટી ગયા છે જેથી આ સ્મારક બિસ્માર બની ગયું છે ત્યારે આ સ્મારકને તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તેવું સ્થાનિક દિલીપભાઈ કટારાએ જણાવ્યું હતું.
તોરણ ઉપરની કોતરણીના પથથરો પણ જીર્ણ થઇ ચુક્યા છે
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમયની આ સત્ય કાળની ઝાખી કરાવતી આ ધરોહરને પુરાત્વ વિભાગ દ્વારા માત્ર રાજ્ય રક્ષિત સ્મારકોમાં સ્થાન આપી ચારે તરફ પ્રોટેક્શન વોલ બનાવી રક્ષિત કરાયું છે પણ જાળવણીના અભાવે આ સ્મારક આગળ આવેલું વડનગર બાદનું બીજા નંબરનું ઐતિહાસિક તોરણ પણ નામશેષ થવાના આરે છે. તોરણ ઉપરની કોતરણીના પથથરો પણ જીર્ણ થઇ ચુક્યા છે ત્યારે તંત્રએ દ્વારા આ સ્થળનું મરામત કરી જો વિકાસ કરવામાં આવે તો શામળાજી ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે એક પર્યટકનું સ્થાન બની શકે તેવું જયેશભાઇ સોનીએ જણાવ્યું હતું .
અરવલ્લી જિલ્લામાં 15 થી વધુ જુદા જુદા ઐતિહાસિક સ્મારકો
અરવલ્લી જિલ્લામાં આવા 15 થી વધુ જુદા જુદા ઐતિહાસિક સ્મારકો આવેલા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને મરામત નહિ કરવામાં આવતા હાલ આ સ્મારકોની સ્થતિ દયનિય બની ચુકી છે તેવા સંજોગોમાં પુરાતત્વવિદોમાં પણ દુઃખની લાગણી છે ત્યારે શામળાજી ખાતેની આ પ્રાચીન ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી નામશેષ થતા બચાવાય તેવું પુરાતત્વવિદ નિલેશભાઈ જોશીએ જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement