....અને માતાજીએ આખી નાતને ભર શિયાળે રસ રોટલી જમાડી, વાંચો શ્રદ્ધાની પરીક્ષા
બહુચરાજી માતાજીને આજે રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયોશક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ ભરશિયાળે માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતીમાતાજીને 2500 લીટર રસ, રોટલી અને 700 કિલોનો અન્નકૂટ ધરાવાયોઆનંદ ગરબા મંડળ તેમજ ભક્તો દ્વારા કરાયું હતું આયોજનદેશના જાણીતા શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં માગસર સુદ બીજે એટલે કે શુક્રવારે બહુચર માતાજીને રસ અને રોટલીન
- બહુચરાજી માતાજીને આજે રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો
- શક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ
- ભરશિયાળે માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી
- માતાજીને 2500 લીટર રસ, રોટલી અને 700 કિલોનો અન્નકૂટ ધરાવાયો
- આનંદ ગરબા મંડળ તેમજ ભક્તો દ્વારા કરાયું હતું આયોજન
દેશના જાણીતા શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં માગસર સુદ બીજે એટલે કે શુક્રવારે બહુચર માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો. 347 વર્ષ પહેલાં માતાજીના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂર્યો હતો અને તેને જીવંત રાખવા ભક્તો દ્વારા પ્રયાસ કરાયો હતો.
માતાજીના પરચાને જીવંત રાખવાનો પ્રયાસ
જગતજનની મા બહુચર માતાજીએ પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 347 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં મા બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.
347 વર્ષ પહેલા બની હતી ચમત્કારિક ઘટના
347 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ.
માતાજીએ પૂર્યો પરચો
માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. તે સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી.
બહેનો પોતાના ઘેર રોટલી બનાવે છે
આ રસ રોટલીના પ્રસાદ માટે રસ કોલ્ડ સ્ટોરેજમાંથી લાવવામાં આવે છે અને રોટલીઓ ગામની સેવા ભાવિ બહેનો પોતાના ઘરેથી બનાવી રોટલીઓ એકત્રિત કરી મંદિરમાં લવાય છે
આજે પણ પરંપરા યથાવત
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહી આવતા હજ્જારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. રસ રોટલીમાં રોટલી અહીની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
વિશ્વાસનો પરચો
આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે. અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહી દુર દુરથી ભક્તો પધારે છે. મંદિરના પુજારી તુષારભાઈ શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે, જયારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે . બસ ભરોસો હોવો જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement