Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શંભુ શરણે પડી..માંગુ ઘડીએ ઘડી...મહાશિવરાત્રીનું આજે પાવન પર્વ

આજે ભગવાન શિવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી (Mahashivratri) છે. વહેલી સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઇ રહ્યા છે. મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરી તથા જળ અને બિલી પત્ર ચઢાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. શિવાલયોમાં આ માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિવ અને શક્તિના મિલનના તહેવારને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છેશિવ અને શક્તિના મિલનના તહેવારને મહાશિવરાત્રી à
શંભુ શરણે પડી  માંગુ ઘડીએ ઘડી   મહાશિવરાત્રીનું આજે પાવન પર્વ
આજે ભગવાન શિવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી (Mahashivratri) છે. વહેલી સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઇ રહ્યા છે. મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરી તથા જળ અને બિલી પત્ર ચઢાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. શિવાલયોમાં આ માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 
શિવ અને શક્તિના મિલનના તહેવારને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે
શિવ અને શક્તિના મિલનના તહેવારને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રીના તહેવારને ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરવાથી જન્મોજન્મના કષ્ટોનું નિવારણ થાય છે. આજનો દિવસ ખુબ શુભ છે.
 રાજ્યભરના શિવાલયોને આજે શણગારવામાં આવ્યા
મહાશિવરાત્રીના તહેવારમાં વ્રત કરીને શિવ આરાધના કરવાનું ભારે મહત્વ રહેલું છે. રાજ્યભરના શિવાલયોને આજે શણગારવામાં આવ્યા છે. ભક્તો કતાર લગાવીને ભોળાનાથના દર્શન કરી રહ્યા છે અને જળ અને બિલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો આજે ઉપવાસ પણ કરશે.

નિશીથ કાળમાં પૂજા આજે રાત્રે 12.29 કલાકથી 1.17 વાગ્યા સુધી કરવામાં આવશે
મહાશિવરાત્રીની પૂજા આમ તો દિવસભર અને ચારેય કલાક કરવામાં આવે છે પણ નિશીથ કાળમાં પૂજા આજે રાત્રે 12.29 કલાકથી 1.17 વાગ્યા સુધી કરવામાં આવશે. 19 ફેબ્રુઆરી રવિવારે સવારે 6.57 કલાકથી બપોરે 3.25 કલાક સુધી ઉપવાસ કરી શકાશે. આજે શનિવારે મહાશિવરાત્રી છે અને શનિ પ્રદોષ પણ છે અને તેથી ઉપવાસ અને પૂજા અર્ચના માટે વિશેષ દિવસ છે. 
રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે 
મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને શિવજીના લગ્ન થયા હોવાથી મનોકામના પૂર્ણ કરવા રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અનેક ફાયદા થાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.