Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'તો તે જીવિત હોત' AAP પર આક્ષેપો, ભાજપ તેમજ SADની સરકારને બરતરફ કરવાની માગ

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો મામલો પેચીદો બની રહ્યો છે. પરિવારનું કહેવું છે કે મૂસેવાલાની ખંડણી બદલ હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસે બે ગેંગ વચ્ચેની આપસી દુશ્મનાવટમાં તેની હત્યા કરી હોવાનું કહી રહી છે. જ્યારે અન્ય પક્ષો માની રહ્યાં છે કે , જો સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચવાનો ખોટો નિર્ણય ન લીધો હોત તો તેઓ જીવિત હોત. SAD કેન્દ્રીય સ્વતંત્ર એજન્સી આ મામલાની તપાસ કરે છ
 તો તે જીવિત હોત  aap પર આક્ષેપો  ભાજપ તેમજ sadની સરકારને બરતરફ કરવાની માગ
સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો મામલો પેચીદો બની રહ્યો છે. પરિવારનું કહેવું છે કે મૂસેવાલાની ખંડણી બદલ હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસે બે ગેંગ વચ્ચેની આપસી દુશ્મનાવટમાં તેની હત્યા કરી હોવાનું કહી રહી છે. જ્યારે અન્ય પક્ષો માની રહ્યાં છે કે , જો સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચવાનો ખોટો નિર્ણય ન લીધો હોત તો તેઓ જીવિત હોત. SAD કેન્દ્રીય સ્વતંત્ર એજન્સી આ મામલાની તપાસ કરે છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ વાડિંગે પણ રાજ્યમાં AAP સરકારને બરતરફ કરવાની માગ 
એક તરફ સિદ્ધુ મૂસાવાલની હત્યાને વિકી મિડુખેડાની હત્યાનો બદલો માનવામાં આવી રહ્યો છે. જો કે આ મુદ્દે પંજાબનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ વાડિંગે પણ રાજ્યમાં AAP સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી. સોમવારે તેમણે કહ્યું કે સાંજે 6 વાગ્યે હોસ્પિટલથી ગુરુદ્વારા સાહિબ સુધી 'શાંતિ માર્ચ' કાઢવામાં આવશે.ભારતીય જનતા પાર્ટી (BJP)થી લઈને કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (SAD), આમ આદમી પાર્ટીની સરકાર સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને ઘેરાઈ ગઈ છે. ફરી એકવાર રાજ્યમાં AAP સરકારને હટાવવાની માંગ ઉઠી છે. તે જ સમયે, રાજકીય પક્ષો આ મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસની માંગ કરી છે. મુસેવાલાના પિતા બરકૌલ સિંહે પણ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

SAD એ કેન્દ્રીય સ્વતંત્ર એજન્સીને મુદ્ને તપાસ કરવા કહ્યું 
SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે રાજ્યના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી. ચર્ચા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જો પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચવાનો ખોટો નિર્ણય ન લીધો હોત તો તેઓ જીવિત હોત. SAD કેન્દ્રીય સ્વતંત્ર એજન્સી આ મામલાની તપાસ કરે છે. આ દરમિયાન બાદલે કહ્યું કે માન સીએમના પદ માટે યોગ્ય નથી. તેમણે કહ્યું, 'અમને જાણવા મળ્યું છે કે ગુનો કરવા માટે AK-49 રાઈફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે માંગ કરી છે કે પંજાબ સરકારને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. સીએમ ભગવંત માન સીએમ ઓફિસ સંભાળવા માટે યોગ્ય નથી.

બીજેપીએ સરકારની યોગ્યતા અંગે સવાલ કર્યા
બીજેપીના પંજાબના વડા અશ્વિની કુમાર શર્માએ કહ્યું,"જ્યારથી આપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી અહીં અરાજકતા છે. મુખ્યમંત્રીના સન્માનથી સરકાર ચાલી રહી નથી. તે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાની કઠપૂતળી છે, જે ન તો પંજાબને જાણે છે કે ન તો તેની સંવેદનશીલતા. આ દરમિયાન તેમણે સુરક્ષા હટાવવાના સરકારના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા." આ સરકારે 424 લોકોની સુરક્ષા ઘટાડી અને માત્ર તાળીઓના ગડગડાટ ખાતર તેમની સુરક્ષાને જોખમમાં મૂકીને ખોટું કર્યું."  તેથી અમે સ્વતંત્ર NIA તપાસની માંગ કરીએ છીએ.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજા અમરિંદર સિંહ વાડિંગે પણ રાજ્યમાં AAP સરકારને બરતરફ કરવાની માગ કરી હતી. સોમવારે તેમણે કહ્યું કે સાંજે 6 વાગ્યે હોસ્પિટલથી ગુરુદ્વારા સાહિબ સુધી 'શાંતિ માર્ચ' કાઢવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.