ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાય, શનિ સાથે જોડાયેલા તમામ કષ્ટો થશે દુર

સનાતન ધર્મમાં મહા શિવરાત્રીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર વર્ષો પછી શનિ ગ્રહને લઈને એક દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં શિવની પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે. 30 વàª
08:42 AM Feb 16, 2023 IST | Vipul Pandya
સનાતન ધર્મમાં મહા શિવરાત્રીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર વર્ષો પછી શનિ ગ્રહને લઈને એક દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં શિવની પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે. 30 વર્ષ પછી મહાશિવરાત્રીના અવસરે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં રહેશે.
મહાશિવરાત્રી પર શનિપૂજાનો વિશેષ સંયોગ
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ એટલે કે મહાશિવરાત્રીના દિવસે શનિ તેની રાશિ કુંભ રાશિમાં રહેશે. આવો સંયોગ 30 વર્ષ પછી બનશે. આ ઉપરાંત આ દિવસે પ્રદોષ વ્રતનો સંયોગ પણ છે. વાસ્તવમાં ચતુર્દશી તિથિના દિવસે ત્રયોદશી તિથિ પણ આવી રહી છે. આવી સ્થિતિમાં શનિ પ્રદોષ અને મહાશિવરાત્રીનો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે. આ સંયોગમાં કરવામાં આવતા શનિદેવના ઉપાયોથી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જે લોકો શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીથી પરેશાન હોય તેમણે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિને ધન-સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય મળે છે.
- મહાશિવરાત્રિ પર શનિ દોષ દૂર કરવા માટે ગંગા જળમાં કાળા તલ નાખી શિવલિંગ પર ચઢાવો. અભિષેક કરતી વખતે શિવ સહસ્રનામનો પણ જાપ કરો. આમ કરવાથી શનિ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે ભોલેનાથની કૃપા થશે 
- શનિદેવના પ્રકોપથી બચવા માટે મહાશિવરાત્રીના દિવસે સવારે શુભ મુહૂર્તમાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો. શિવ ચાલીસાનો પાઠ પણ કરો.
- મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બીલીપત્ર અને શમીના ફૂલ ચઢાવો. શનિદેવ ભગવાન શિવના ભક્ત છે. શિવલિંગ પર શનિદેવના પ્રિય શમીના ફૂલ ચઢાવવાથી સાડા સાત વર્ષના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ આવે છે.
-  આ સિવાય મહાશિવરાત્રીના દિવસે કાળી અડદની દાળ, કાળા તલ, સરસીયાના તેલનું દાન કરો. પીપળના ઝાડ નીચે સરસીયાના તેલનો દીવો પ્રગટાવો અને તેલમાં થોડા કાળા તલ નાખો. આ કારણે કુંડળીમાં શનિ બળવાન બને છે અને શુભ ફળ આપે છે.
આ પણ વાંચોઃ  વર્ષમાં એકવાર ખીલેલુ આ ફૂલ વર્ષો સુધી કરે છે પૈસાનો વરસાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
associatedGujaratFirstinfallibleremedyMahashivratriremovedShanitroubles
Next Article