Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાબા રામદેવની મોટી જાહેરાત, 5 કંપનીઓનો IPO થશે લોન્ચ..

યોગ ગુરુ બાબા રામદેવની પાંચ કંપનીઓનો IPO લોન્ચ થવાનો છે. બાબા રામદેવની આગેવાની હેઠળના પતંજલિ ફૂડ્સના શેર તેમના રોકાણકારોને મોટો નફો કમાઈ રહ્યા છે. હવે બાબા રામદેવે કહ્યું કે પતંજલિ બ્રાન્ડની અન્ય કંપનીઓનો આઈપીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કંપનીઓનો IPO આવવાનો છે તેમાં પતંજલિ લાઇફસ્ટાઇલ ઉપરાંત પતંજલિ આયુર્વેદ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિનનો સમà
બાબા રામદેવની મોટી જાહેરાત  5 કંપનીઓનો ipo થશે લોન્ચ

યોગ ગુરુ બાબા રામદેવની પાંચ કંપનીઓનો IPO લોન્ચ થવાનો છે. બાબા રામદેવની આગેવાની હેઠળના પતંજલિ ફૂડ્સના શેર તેમના રોકાણકારોને મોટો નફો કમાઈ રહ્યા છે. હવે બાબા રામદેવે કહ્યું કે પતંજલિ બ્રાન્ડની અન્ય કંપનીઓનો આઈપીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કંપનીઓનો IPO આવવાનો છે તેમાં પતંજલિ લાઇફસ્ટાઇલ ઉપરાંત પતંજલિ આયુર્વેદ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિનનો સમાવેશ થાય છે. આ કંપનીઓ આગામી પાંચ વર્ષ દરમિયાન શેરબજારમાં લિસ્ટ થશે.

Advertisement

Advertisement

બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં રૂચી સોયાને રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ રૂ. 4,350 કરોડમાં ખરીદી હતી. આ કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ હતી. આ વર્ષે કંપનીનું નામ રૂચી સોયાથી બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવ્યું હતું. પતંજલિ ફૂડ્સના શેરની કિંમત સપ્તાહ દર સપ્તાહ અને મહિને મહિને વધી રહી છે.

પતંજલિ ફૂડ્સના શેરની કિંમત

Advertisement


પતંજલિ ફૂડ્સનો સ્ટોક માર્કેટમાં સારો દેખાવ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરની કિંમતમાં 12.89 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, છેલ્લા છ મહિનામાં તેની કિંમત જુઓ, તેમાં 53.66 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેણે બે વર્ષમાં 105 ટકા વળતર આપ્યું છે. હવે છેલ્લા પાંચ વર્ષમાં આનાથી મળતા વળતર પર નજર કરીએ તો, પતંજલિ ફૂડ્સના શેરોએ તેમના રોકાણકારોને 5,400 ટકાથી વધુ વળતર આપ્યું છે.

આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પતંજલિ ફૂડ્સનો શેર 0.38 ટકા વધીને 1,380 પર પહોંચ્યો હતો. ની સપાટીએ બંધ રહ્યો હતો. હાલમાં, પતંજલિ ફૂડ્સનું માર્કેટ કેપ (Mcap) આશરે રૂ. 50,000 કરોડ છે. તેના શેરમાં ઉછાળાની વાત કરીએ તો સપ્ટેમ્બર 2017માં તેના શેરની કિંમત 26 રૂપિયાની આસપાસ હતી.

સપ્ટેમ્બર 2020 સુધીના ત્રણ વર્ષમાં આ શેરની કિંમત વધીને 613 રૂપિયા થઈ ગઈ છે. જયારે શુક્રવારે તેના શેર 1,398 ના 52 અઠવાડિયાના ઉચ્ચ ભાવે પહોંચ્યા. પતંજલિ ફૂડ્સ એ ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે.

બાબા રામદેવની કંપનીના શેરમાં વધારો જોઈને રિસર્ચ કંપનીઓ પણ તેની ખરીદીને નફાકારક સોદો કહી રહી છે. પતંજલિ ફૂડ્સને BUY રેટિંગ આપતી સ્થાનિક સંશોધન ફર્મ એન્ટિકએ તેના શેર માટે 1725 રૂપિયા પ્રતિ શેરનો લક્ષ્યાંક રાખ્યો છે.

Tags :
Advertisement

.