Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદિરમાં કેમ વગાડવામાં આવે છે ઘંટ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

સામાન્ય  રીતે  તમે મંદિરે  ભગવાનના દર્શન  કરવા  જતા  હોવ  છો. પણ  શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂજા ઘર અથવા મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે. મહત્વનું છે કે તેની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક  કારણો  છુપાયેલા  હોય છે. ભક્તો દર્શન પહેલા અને પછી તે ઘંટ વગાડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવું એ માત્ર પરંપરાનો એક ભાગ છે.મંદિરોમાં ઘંટ કેમ વગàª
મંદિરમાં કેમ વગાડવામાં આવે છે ઘંટ  જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
સામાન્ય  રીતે  તમે મંદિરે  ભગવાનના દર્શન  કરવા  જતા  હોવ  છો. પણ  શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂજા ઘર અથવા મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે. મહત્વનું છે કે તેની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક  કારણો  છુપાયેલા  હોય છે. ભક્તો દર્શન પહેલા અને પછી તે ઘંટ વગાડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવું એ માત્ર પરંપરાનો એક ભાગ છે.
મંદિરોમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે તેના પર વૈજ્ઞાનિકોએ ઘણા સંશોધનો કર્યા છે. વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા કે ઘંટનો અવાજ સૂક્ષ્મ પરંતુ દૂરગામી છે. આ ઘંટ વગાડવાથી કંપન ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં તરતા સૂક્ષ્મ વાયરસ અને સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને લોકો લાંબા સમય સુધી ફિટ રહે છે.
આ ઉપરાંત  એ પણ  જાણવા  મળી રહ્યું છે કે મંદિરની ઘંટડીમાંથી નીકળતો અવાજ લગભગ 7 સેકન્ડ સુધી ગુંજતો રહે છે. તેનો પડઘો શરીર અને મનને ઊંડી શાંતિ આપે છે. જેના કારણે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે નકારાત્મક અસરો પણ થોડા સમય માં  જતી રહે છે .મંદિરની ઘંટડીનો આ પડઘો મનમાં ઉત્સાહ અને પ્રસન્નતા ફેલાવે છે.
આ  ઉપરાંત ઘંટડીને પણ એવું જ એક વાદ્ય માનવામાં આવે છે, જે વગાડવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો આપણે સ્કંદ પુરાણની વાત કરીએ તો કહેવામાં આવ્યું છે કે ઘંટડીના અવાજથી ‘ઓમ’ નો ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે મન માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે ઓમનો જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.
Advertisement
Tags :
Advertisement

.