PM મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાતે જશે, રાષ્ટ્રિય દિવસ પર બનશે ગેસ્ટ ઓફ ઓનર
- PM મોદી 12 માર્ચે મોરેશિયસ જશે
- પીએમ મોદીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ
- મોરેશિયસ અને ભારત વચ્ચે મજબૂત સંબંધો
PM Modi will visit Mauritius : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે. મોરેશિયસના 57મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, દેશે પીએમ મોદીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યું છે. ઉપરાંત, મોરેશિયસના પીએમ ડૉ. નવીનચંદ્ર રામગુલામે કહ્યું કે, આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું આપણા દેશ માટે ગૌરવની વાત છે.
PM મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પીએમ મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે રાષ્ટ્રીય સભામાં જાહેરાત કરી હતી કે તેમણે મોરેશિયસના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે અને પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું છે.
PM મોદી સન્માનિત અતિથિ બનવા સંમત થયા
મોરેશિયસના પીએમ ડૉ. નવીનચંદ્ર રામગુલામે કહ્યું કે, આપણા દેશની આઝાદીની 57મી વર્ષગાંઠની ઉજવણીના અવસરે, મને ગૃહને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, મારા આમંત્રણને પગલે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે સન્માનિત અતિથિ બનવા માટે સંમત થયા છે.
આ પણ વાંચો : Train Accident: બાલાસોરમાં પાટા પરથી ઉતરી ટ્રેન, વીજળીના થાંભલા સાથે અથડાઇ ટ્રેન
આ આપણા દેશ માટે સૌભાગ્યની વાત
મોરેશિયસના પીએમએ વડાપ્રધાન મોદી દ્વારા આમંત્રણ સ્વીકારવા બદલ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, આપણા દેશ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની યજમાની કરવી એ સૌભાગ્યની વાત છે કે જેઓ તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ અને તેમની તાજેતરની પેરિસ અને અમેરિકાની મુલાકાતો છતાં અમને આ સન્માન આપી રહ્યા છે. તેઓ અહીં અમારા વિશેષ અતિથિ તરીકે આવવા માટે સંમત થયા છે. પીએમ મોદીની મુલાકાત આપણા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.
#WATCH | PM Narendra Modi to be the Guest of Honour at Mauritius' National Day celebrations.
Mauritius PM Navin Ramgoolam says, "I have great pleasure to inform the House that following my invitation, His Excellency Shri Narendra Modi, Prime Minister of India,
+1 pic.twitter.com/nnVC67t0Jh— Avinash K S🇮🇳 (@AvinashKS14) February 22, 2025
રાષ્ટ્રપતિ મુર્મૂએ મુલાકાત લીધી
જ્યાં આ વખતે મોરેશિયસે પીએમ મોદીને આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યું છે. તે જ સમયે, ગયા વર્ષની શરૂઆતમાં 2024 માં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોરેશિયસના 56મા સ્વતંત્રતા દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. સર સીવુસાગુર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિ મુર્મૂનું પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ પણ વાંચો : '21 મિલિયન ડોલર ક્યાં ગયા?', કોંગ્રેસે ટ્રમ્પના દાવા પર PM મોદી પાસેથી માંગ્યો જવાબ
નવીન રામગુલામ વડા પ્રધાન તરીકે પાછા ફર્યા
મોરેશિયસમાં, નવીન રામગુલામના નેતૃત્વ હેઠળના ગઠબંધને 2024 માં સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ વિજય મેળવ્યો, જેનાથી તેઓ એક દાયકા પછી વડા પ્રધાન તરીકે પાછા ફર્યા. તેમની જીતના પ્રસંગે, પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન આપ્યા અને તેમની સાથે વાત પણ કરી.
પીએમ મોદીએ કહ્યું હતું કે જીત બાદ મેં મારા મિત્ર નવીન રામગુલામ સાથે વાત કરી અને હું તેમને ઐતિહાસિક જીત માટે અભિનંદન પાઠવું છું. મેં તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે. અમે અમારી ખાસ ભાગીદારીને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.
ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધો
મોરેશિયસ અને ભારત વચ્ચે મજબૂત સંબંધો છે. ભારત અને મોરેશિયસ વચ્ચે ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત ગાઢ સંબંધ છે. મોરેશિયસમાં ભારતીયો મોટી વસ્તીમાં રહે છે. ભારતીય વિદેશ મંત્રાલયના 2024ના અહેવાલ મુજબ, મોરેશિયસમાં 8 લાખ 94 હજાર 848 ભારતીયો અને ભારતીય મૂળના લોકો રહે છે. આ જ કારણ છે કે બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત છે.
આ પણ વાંચો : દિલ્હી યુનિવર્સિટી સાહિત્ય મહોત્સવમાં વિદેશ મંત્રી જયશંકરે હનુમાનજીનો ઉલ્લેખ કેમ કર્યો? જાણો કારણ