Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADTAL : વડતાલના વધુ એક સંતની ગંદી કરતુત સામે આવી

VADTAL : વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય ( (VADTAL SWAMINARAYAN SAMPRADAY) ) ના સંતોની પાપલીલાનો ભાંડો ધીરે ધીરે ફૂટી રહ્યો છે. તાજેતરમાં એક સમયે વડોદરાના વાડી વિસ્તારમાં, વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરા પર દુષ્કર્મની ઘટના...
vadtal   વડતાલના વધુ એક સંતની ગંદી કરતુત સામે આવી

VADTAL : વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય ( (VADTAL SWAMINARAYAN SAMPRADAY) ) ના સંતોની પાપલીલાનો ભાંડો ધીરે ધીરે ફૂટી રહ્યો છે. તાજેતરમાં એક સમયે વડોદરાના વાડી વિસ્તારમાં, વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યાર બાદ વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. જે બાદ ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ વડતાલ પહોંચી હતી. જ્યાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર મળી આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

Advertisement

હરકત સાધુતાને લજવે તેવી

વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતનું કલંકરૂપ કૃત્ય સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા સર્કલમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સત્યસ્વરૂપનો એક વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં સ્વામી સત્યસ્વરૂપ સ્નાન સમયે એક છોકરા સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ હરકત સાધુતાને લજવે તેવી છે. વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

પુષ્ટિ કરતું નથી

વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ વડતાલ મંદિર પહોંચી હતી. જો કે, વડતાલમાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર મળ્યા હતા. ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) આ વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

Advertisement

પાપલીલાનો ભાંડો ફુટ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા વડોદરાના વાડી સ્વામીનારાયણ મંદિરના વર્ષ 2016 ના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, એક પછી એક વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતોની પાપલીલાનો ભાંડો ફુટી રહ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો કસાયો

Advertisement

Tags :
Advertisement

.