Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનાલી બેન્દ્રે પત્રકારના રોલમાં કરશે કમબેક, વ્યક્ત કરી કેન્સરની પીડા

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. હવે સોનાલીએ કેન્સર સર્જરી અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'થી કમબેક કરી રહી છે.એક્ટ્રેસે ફરી એકવાર સર્જરી વિશે પોતાનું દર્દ વ્યક્ત કર્યું બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'થી કમબેક કરી રહી છે. તે તેની શાનદાર એક્ટિંગ માટ
સોનાલી બેન્દ્રે પત્રકારના રોલમાં કરશે કમબેક  વ્યક્ત કરી કેન્સરની પીડા
બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. હવે સોનાલીએ કેન્સર સર્જરી અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'થી કમબેક કરી રહી છે.
એક્ટ્રેસે ફરી એકવાર સર્જરી વિશે પોતાનું દર્દ વ્યક્ત કર્યું 
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'થી કમબેક કરી રહી છે. તે તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. પરંતુ તે થોડા વર્ષોથી એક્ટિંગથી દૂર છે. વર્ષ 2018માં સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. કેન્સર હોવાનું નિદાન થયા બાદ તરત જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને આ માટે તે ન્યૂયોર્ક ગઈ હતી. સોનાલી ઘણીવાર તેની કેન્સર સર્જરી વિશે અને તેણે પોતાની જાતને કેવી રીતે હિંમત આપી તે વિશે વાત કરે છે. એક્ટ્રેસે ફરી એકવાર સર્જરી વિશે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે સર્જરી પછી તેની સાથે શું થયું. 

સર્જરીના 24 કલાક બાદ ડોક્ટરો ઘરે મોકલી રહ્યા હતા
સોનાલી બેન્દ્રે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'થી કમબેક કરી રહી છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં, અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ આપ્યો, જેમાં તેણે કેન્સર સર્જરી વિશે વાત કરી. અભિનેત્રીએ જણાવ્યું કે કેન્સર સર્જરી બાદ તે ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી સાથે જ તેના કરતા વધુ ચિંતિત ડોક્ટરો હતા, જેઓ સર્જરીના 24 કલાક પછી જ તેને ઘરે મોકલવા માંગતા હતા.
23-24 ઇંચ ઊંડા નિશાન
સોનાલી બેન્દ્રેએ કહ્યું, 'કેન્સરની સર્જરી પછી મારા શરીરમાં ઘણા ફેરફારો થયા અને મારા શરીર પર 23-24 ઈંચ લાંબા ઊંડા ડાઘના નિશાન પણ હતા. ન્યૂયોર્કમાં સર્જરીના 24 કલાક પછી જ ડોક્ટરો મને ઘરે મોકલવા માંગતા હતા. કારણ કે તેમને ડર હતો કે મને કોઈ પ્રકારનો ચેપ લાગી શકે છે. એટલા માટે તેઓ વારંવાર મને હોસ્પિટલમાંથી રજા આપવા માટે કહી રહ્યાં હતા.
પત્રકારની ભૂમિકામાં કમબેક કરશે
સોનાલી બેન્દ્રે ફરી એકવાર ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મ Zee5પર રિલીઝ થશે. જેમાં જયદીપ અહલાવત, શ્રિયા પિલગાંવકર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, તારુક રૈના, આકાશ ખુરાના, કિરણ કુમાર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. તેનું નિર્દેશન વિનય વૈકુલ કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.