Smriti Irani: અમેઠીમાં હાર બાદ સ્મૃતિ ઈરાની આવ્યું ચોંકાવનારું નિવેદન,જાણો શું કહ્યું
Smriti Irani:લોકસભા ચૂંટણી(LokSabha Election Results)માં સૌથી રસપ્રદ મુકાબલો ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર હતો.જ્યાં આ વખતે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પરથી બિન-ગાંધી કોંગ્રેસી નેતાએ ચૂંટણી લડી હતી.અહીં ભાજપે (BJP) ફરી એકવાર સ્મૃતિ ઈરાની (SmritiIrani)ને ટિકિટ આપી હતી.જેમણે ગત વખતે આ બેઠક પર રાહુલ ગાંધીને હરાવ્યા હતા.આ વખતે સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરી લાલના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. કિશોરી લાલે સ્મૃતિ ઈરાની સામે 1 લાખ 65 હજાર 926 મતોની લીડ લીધી છે. આ પરિણામો લગભગ સ્પષ્ટ થયા બાદ સ્મૃતિ ઈરાનીની પ્રતિક્રિયા આવી છે.
સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, જે લોકો આજે ચૂંટણી જીત્યા છે તેમને અભિનંદન. હું આશા રાખું છું કે જે રીતે અમે લોકોની સમસ્યાઓ વિશે સાંભળ્યું છે, તે જ રીતે તેઓ પણ લોકો માટે કામ કરશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મને પાંચ વર્ષ સુધી સેવા કરવાની તક આપવા માટે અમેઠીના લોકોનો આભાર.
#WATCH | Union Minister and BJP's candidate from Uttar Pradesh's Amethi Lok Sabha seat, Smriti Irani says, "...I express my gratitude to all the BJP party workers and supporters, those who have worked in the service of the constituency and the party with utmost dedication and… pic.twitter.com/0ypSBBzAh4
— ANI (@ANI) June 4, 2024
હારનું વિશ્લેષણ કરવામાં આવશે - સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ કહ્યું, મને લાગે છે કે આજનો દિવસ જનતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જેઓ જીત્યા છે તેમને અભિનંદન આપવાનો દિવસ છે. સંગઠનનો સ્વભાવ વિશ્લેષણ કરવાનો છે અને સંગઠન વિશ્લેષણ કરશે. એક જનપ્રતિનિધિ તરીકે, તે મારું સૌભાગ્ય હતું. કે હું દરેક ગામડામાં ગઈ અને જીત કે હારની પરવા કર્યા વગર કામ કર્યું અને આ મારા જીવનનો મોટો લહાવો છે.
આ પણ વાંચો - Lok Sabha Election : અપેક્ષા કરતા ઓછી બેઠકો, છતાં BJP એ 6 રાજ્યોમાં કર્યું ક્લીન સ્વીપ, MP માં ચાલ્યું મોહન મેજિક!
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : ભાજપના દિગ્ગજ નેતાએ PM મોદીને ગણાવ્યા તાનાશાહ
આ પણ વાંચો - Loksabha Election Results :ક્રિકેટર યુસુફ પઠાણની જીત,કોંગ્રેસના આ દિગ્ગજને હરાવ્યો