Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા મા રેવાના વધામણાં

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટર પહોંચી છે. ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણી પુરુ પાડતો સરદાર સરોવર ડેમ ત્રીજી વાર સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચતા સર્વત્ર ખુશીની લહેર જોવા મળી રહી છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધીથી ડેમ ખાતે પૂજા કરીને મા નર્મદાના વધામણા કર્યા હતા. મા રેવાના પવિત્ર તટે ગુà
સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  કર્યા મા રેવાના વધામણાં
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટર પહોંચી છે. ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણી પુરુ પાડતો સરદાર સરોવર ડેમ ત્રીજી વાર સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચતા સર્વત્ર ખુશીની લહેર જોવા મળી રહી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધીથી ડેમ ખાતે પૂજા કરીને મા નર્મદાના વધામણા કર્યા હતા. 
મા રેવાના પવિત્ર તટે ગુરુવારે ગુજરાત માટે સોનેરી સુર્યોદય થયો છે. સરદાર સરોવરનો જળકૂંભ એની પૂર્ણ સપાટીએ છલોછલ ભરાયો છે. ડેમ છલોછલ ભરાતા સમગ્ર રાજ્યમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ છે. ગુરુવારે સવારે 6 વાગે સરદાર સરોવર જળાશયની સપાટી 138.68 મીટરની સર્વોચ્ચ ઉંચાઇને ત્રીજી વાર આંબી હતી. પરિણામે સમગ્ર ગુજરાતને આખા વર્ષની જળ નિરાંત થઇ છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ 138.68 મીટરની   ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણાકર્યા હતા. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68  મીટરે પહોંચી છે. જેથી જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. 
સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે
પાણીનો આ આવરો થવાથી  રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના  બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના  હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી  મળશે. આ ઉપરાંત  નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે  સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ  નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.
ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે.  એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે  કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે 
નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી.
રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધ ની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનશ્રીના જ વરદહસ્તે ર૦૧૭ની ૧૭મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. 
વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. 
ર૦ર૦માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર૦રરમાં ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા. 
    
આ નર્મદા જળ વધામણાં અવસરે રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્યશ્રી મનસુખ ભાઈ વસાવા,મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી શ્રી જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ,અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

Koo App

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઈ ગયો; ૪.૭૩ મિલિયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઈને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે*; *પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે.

- Gujarat Information (@infogujarat_) 15 Sep 2022

Tags :
Advertisement

.