Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Case: સંજય રોય તો લુચ્ચો નિકળ્યો..પોલીગ્રાફ ટેસ્ટમાં...

કોલકાતાની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરનારો સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા ટેસ્ટ દરમિયાન સંજય રોયને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા સંજયના જવાબો ખોટા અને માન્યતા બહારના જણાયા Kolkata Case : કોલકાતા...
kolkata case  સંજય રોય તો લુચ્ચો નિકળ્યો  પોલીગ્રાફ ટેસ્ટમાં
  • કોલકાતાની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરનારો સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો
  • લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા ટેસ્ટ દરમિયાન સંજય રોયને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા
  • સંજયના જવાબો ખોટા અને માન્યતા બહારના જણાયા

Kolkata Case : કોલકાતા (Kolkata Case)ની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર નિર્દયતાથી હુમલો તથા દુષ્કર્મ અને હત્યા કરનારો સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. CBIની સાથે કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં પહોંચેલી CFSL ટીમે રવિવારે 25 ઓગસ્ટે આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કર્યો હતો. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા ટેસ્ટ દરમિયાન સંજય રોયને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંજય રોયની સાથે અન્ય બે લોકોનો પણ પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી કેસની સત્યતા જાણી શકાય.

Advertisement

પોલીગ્રાફ ટેસ્ટમાં ક્યા પ્રશ્નો પુછાયા

પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન સંજય રોયને પૂછવામાં આવ્યું કે કોલકાતા કેસમાં 8 અને 9 ઓગસ્ટની રાતે શું થયું હતું? શું મહિલા ડોક્ટરના દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપી સંજય રોય સાથે અન્ય કોઈ સામેલ હતું? કહેવાય છે કે ટેસ્ટ દરમિયાન સીબીઆઈએ પૂછ્યું કે શું તે હત્યાના ઈરાદાથી હોસ્પિટલ આવ્યો હતો? શું હોસ્પિટલનો ભ્રષ્ટાચાર દુષ્કર્મ-હત્યા કેસ સાથે જોડાયેલો છે? તેમણે આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપ્યા નથી, પરંતુ ચોક્કસપણે ખોટા જવાબો આપ્યા છે.

આ પણ વાંચો----Kolkata Case : શું CBI ને બળાત્કાર-હત્યામાં નક્કર પુરાવા મળ્યા? અધિકારીએ કર્યો ખુલાસો...!

Advertisement

પોલીગ્રાફ ટેસ્ટમાં આરોપી સંજય રોયે શું જવાબ આપ્યો?

અખબારી અહેવાલો મુજબ આરોપી સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન કહ્યું કે જ્યારે તે હોસ્પિટલના સેમિનાર હોલમાં પહોંચ્યો ત્યારે પીડિતા ત્યાં મૃત હાલતમાં પડેલી હતી. ટેસ્ટ દરમિયાન તેની પાસેથી ઘણા ખોટા અને જટિલ જવાબો બહાર આવ્યા હતા. લાઇ-ડિટેક્ટર ટેસ્ટ દરમિયાન સંજય રોય નર્વસ અને ચિંતિત દેખાયો હતો. સીબીઆઈએ ઘણા પુરાવાઓ સાથે તેને સવાલો કરતાની સાથે જ તેણે બહાના બનાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે પીડિતા પહેલાથી જ મૃત હાલતમાં હતી અને તે ડરીને ત્યાંથી ભાગી ગયો હતો.

જવાબો ખોટા અને માન્યતા બહારના જણાયા

સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન દાવો કર્યો હતો કે તે નશામાં હતો (તે બીયર પીતો હતો) અને તેણે અકસ્માતે પીડિતાને હોસ્પિટલના સેમિનાર રૂમમાં જોઇ હતી. આરોપીએ કહ્યું કે તેનું હેલ્મેટ અકસ્માતે દરવાજા સાથે અથડાયું તેણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેણે પીડિતાને પહેલીવાર જોઈ ત્યારે તે પહેલાથી જ મરી ગઈ હતી અને તે ડરીને ભાગી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે 8 અને 9 ઓગસ્ટની ઘટનાઓ અંગે આપવામાં આવેલા જવાબો ખોટા અને માન્યતા બહારના જણાયા હતા.

Advertisement

આરોપીએ આ પ્રશ્નોના સીધા જવાબો આપવાનું ટાળ્યું

આરોપીને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે જો તે નિર્દોષ હતો તો ત્યાંથી કેમ ભાગી ગયો. તેણે પીડિતાના મોત અંગે પોલીસને કેમ જાણ ન કરી? સંજય રોયને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેમની સામે દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં આટલા ફોરેન્સિક પુરાવા કેમ મળ્યા? સૂત્રોએ જણાવ્યું કે આરોપીએ આ પ્રશ્નોના સીધા જવાબો આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તે ગભરાઈને ભાગી ગયો હતો. જોકે સીબીઆઈના અધિકારીઓ આરોપીઓના જવાબોથી સંતુષ્ટ જણાતા નથી. આવી સ્થિતિમાં તેનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે.

આ પણ વાંચો--- Kolkata Case : કોલકાતાની ઘટનાનું સત્ય બહાર આવશે, આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ થયો

પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ વચ્ચે શું તફાવત છે?

પોલિગ્રાફ ટેસ્ટમાં આરોપીના શરીર સાથે એક મશીન જોડવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવતું નથી. આ દરમિયાન, જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે જવાબ આપતી વખતે આરોપીના શરીરમાંથી આવતા સંકેતો રેકોર્ડ કરવામાં આવે છે. આરોપીનું મન સક્રિય રહે છે. સિગ્નલના આધારે સત્ય અને અસત્યની ઓળખ થાય છે.

નાર્કો ટેસ્ટમાં ગુના સંબંધિત જવાબો મેળવવાનો વધુ અવકાશ

જ્યારે નાર્કો ટેસ્ટમાં સોડિયમ પેન્ટોથલનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ટેસ્ટમાં આરોપીનું મન સક્રિય રહેતું નથી. આરોપી બેભાન થઈને જવાબ આપે છે. નાર્કો ટેસ્ટમાં મશીનના સિગ્નલને પ્રભાવિત કરી શકાતું નથી. આ જ કારણ છે કે નાર્કો ટેસ્ટમાં ગુના સંબંધિત જવાબો મેળવવાનો વધુ અવકાશ છે.

કોલકાતા કેસમાં હવે CBI શું કરશે?

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસની તપાસ કરી રહેલી CBI ટીમ રિપોર્ટ તૈયાર કરવાની છે. જેમાં આરોપીઓને પૂછવામાં આવેલા તમામ પ્રશ્નો અને તેના જવાબોનું સંકલન કરવામાં આવશે. કયા પ્રશ્નોના જવાબ આપતી વખતે તે નર્વસ હતો, કયા પ્રશ્નોના તેણે સાચા જવાબ આપ્યા અને કયા પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા. આ તમામ બાબતોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ હવે પોલીગ્રાફ ટેસ્ટ અને સાયકોલોજિકલ ટેસ્ટ મેચ કરવામાં આવશે, જેથી કોલકાતા કેસમાં આરોપીઓની ભૂમિકા અંગે સત્ય બહાર આવી શકે. તે જ સમયે, આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સીબીઆઈ ઓફિસ પહોંચ્યા છે. સંદિશ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો---- Kolkata : CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી, 'નાણાકીય ગેરરીતિઓ'ની તપાસ શરૂ...

Tags :
Advertisement

.