Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે  મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.(royal families honored)આ કાર્યક્રમમાં મહારાણા...
ahmedabad   cm ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે  મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.(royal families honored)આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના (vishva umiya foundation) રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ ગુજરાત ફર્સ્ટ  સાથે  કરી ચર્ચા 

Advertisement

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી ખુબ જ ખુશીનો અનુભવ થાય છે. પોતાના સ્ટેટ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, આંધી તુફાન મેં મેવાડને રુકના નહીં શીખા, લાખો નંગી તલવારો કે સામને ઝુકના નહીં શીખા, શીશ કટને કે બાદ ભી ધડ યહાં લડા કરતે હે, ઓર મેવાડને કભી બીકના નહીં શીખા , તેઓએ એ સંદેશ આપ્યો કે સોચ કો કભી ઇતની ગહેરી મત કરના કે ફેંસલે કમજોર હો જાયે...

Advertisement

સરદાર સાહેબ અને રાજવીઓ એક સિક્કાના બે ભાગ છે : રાજવી કેસરીસિંહે

રાજવીઓના સન્માનના આ કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી કેસરીસિંહે કહ્યું કે સરદાર સાહેબ અને રાજવીઓ એક સિક્કાના બે ભાગ છે.. તેઓએ કહ્યું કે સરદાર સાહેબનું જે સપનું હતું અને રાજવીઓનો જે ત્યાગ હતો તે બન્નેએ ભેગા થઇને જે કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે.. પોતાને જનતાની સેવા કરવાની જે તક મળી તેને લઇને બોલતા તેઓએ કહ્યું કે વાંકાનેરમાં રાજ પરિવાર પહેલેથી જ જનતા વચ્ચે રહ્યો છે.. આજે રાજ્ય સભાના મેમ્બર તરીકે તેમને જનતાની સેવા કરવાનો જે મોકો મળ્યો છે તેની તેમને ખુબ જ ખુશી છે. લોકશાહી અને રાજાશાહી વચ્ચેના ફરકને લઇને બોલતા તેઓએ કહ્યું કે વ્યવસ્થા ભલે નોખી થઇ ગઇ હોય પરંતુ આજેય જનતાની વચ્ચે રાજવીઓનું માન-સન્માન હજુ એમનું એમ છે એવું તેઓ માને છે.

જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું છે.

રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસાપન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચી છે.

જ્યાં કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી-મેરા દેશ- મેરાધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને પહોંચ્યા છે. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

મહત્વનું છેકે જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહપુરુષ સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.

આ સાથે જ ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S. ACADEMYનો પણ આજના દિવસે શુભારંભ થશે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનનો સંદેશ છે.

આ  પણ  વાંચો -PANCHMAHAL : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી

Tags :
Advertisement

.