Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Mandir Live Steaming : તમે અયોધ્યા ન જતા હોવ તો પણ જોઈ શકશો પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ, જાણો કેવી રીતે?

Ram Mandir Live Steaming : અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ સોમવારે 22 જાન્યુઆરીએ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના લગભગ 8000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ મહેમાનોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ram mandir live steaming   તમે અયોધ્યા ન જતા હોવ તો પણ જોઈ શકશો પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ  જાણો કેવી રીતે

Ram Mandir Live Steaming : અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ સોમવારે 22 જાન્યુઆરીએ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના લગભગ 8000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ મહેમાનોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરશે. સમગ્ર દેશમાં આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

Advertisement

જાણો કેવી રીતે તમે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો

સામાન્ય લોકો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં શું થશે, કેવી રીતે થશે, કયા લોકો આવી રહ્યા છે, પૂજા કેવી રીતે થશે તે જોવા અને જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. . જો તમે પણ આ બાબત વિશે ઉત્સુક છો, તો અમારા આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. કારણ કે અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા ઘરે બેસીને તમારા ટીવી પર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

Advertisement

લાઈવ ટેલિકાસ્ટ માટે દૂરદર્શન 40 કેમેરા લગાવશે

કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન યુનિટ PIB ના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું દૂરદર્શન (DD) પર લાઈવ ટેલિકાસ્ટ (Ram Mandir Live Steaming) કરવામાં આવશે. આ માટે દૂરદર્શન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો અહેવાલોનું માનીએ તો, પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ માટે દૂરદર્શન આ દિવસે રામ મંદિર અને તેની આસપાસ કુલ 40 કેમેરા સ્થાપિત કરશે અને 4K માં ટેલિકાસ્ટ (Ram Mandir Live Steaming) કરવામાં આવશે.

હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ક્ષેત્રીય ભાષાઓમાં થશે પ્રસારણ

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ પર કરવામાં આવશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, આ કાર્યક્રમ દેશની તમામ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે દૂરદર્શન દ્વારા ખાનગી ચેનલોને ફીડ આપવામાં આવશે. રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનો સમગ્ર કાર્યક્રમ 4K ગુણવત્તામાં લાઈવ થશે.

Advertisement

આ પણ વાંચો : Ram Mandir : આજથી અયોધ્યામાં 7 દિવસ સુધી યોજાશે અનુષ્ઠાન, ધાર્મિક વિધિઓ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.