Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગમે ત્યારે થઇ શકે છે Prajwal Revanna ની ધરપકડ!, કર્ણાટક સરકારે લીધો આ મોટો નિર્ણય...

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પૂર્વ PM એચડીના પૌત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. પ્રજ્વલ સામે લુકઆઉટ નોટિસ જારી થતા કર્ણાટક સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. તેના પર ઘણી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે...
ગમે ત્યારે થઇ શકે છે prajwal revanna ની ધરપકડ   કર્ણાટક સરકારે લીધો આ મોટો નિર્ણય

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પૂર્વ PM એચડીના પૌત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. પ્રજ્વલ સામે લુકઆઉટ નોટિસ જારી થતા કર્ણાટક સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. તેના પર ઘણી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે અને તે હવે જર્મનીમાં છે.

Advertisement

આ પહેલા પ્રજ્વલે SIT સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય માંગ્યો હતો. તે જ દિવસે, SIT એ પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્નાને પણ નોટિસ પાઠવી હતી, જેમને મહિલાની ફરિયાદના આધારે આરોપી બનાવવામાં આવ્યા છે. ડેક્કન હેરાલ્ડે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પરિપત્ર જારી થયા બાદ પ્રજ્વલ દેશમાં પ્રવેશતાની સાથે જ તેને કસ્ટડીમાં લેવામાં આવશે.

'સત્ય ટૂંક સમયમાં બહાર આવશે'

મંગળવારે કર્ણાટક સરકાર દ્વારા રચાયેલી SIT એ પ્રજ્વલ અને તેના પિતાને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. સમન્સનો જવાબ આપતા, પ્રજ્વલે બુધવારે એક્સ પોસ્ટ કરીને કહ્યું કે તે બેંગલુરુમાં નથી અને સત્ય બહાર આવશે. તેણે કહ્યું હતું કે, 'હું પૂછપરછમાં સામેલ થવા માટે બેંગલુરુમાં ન હોવાથી મેં મારા વકીલ મારફતે CID નો સંપર્ક કર્યો છે. બેંગલુરુને જાણ કરવામાં આવી છે. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. કેસની તપાસ માટે SIT ની રચના કર્યા બાદ પ્રજ્વલ દેશ છોડીને ભાગી ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર તાત્કાલિક પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

18 એપ્રિલ બાદ પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી...

વિગતો એવી સામે આવી રહીં છે કે, તેઓ અત્યારે જર્મનીમાં છે. દેશ છોડીને ગયા બાદ એટલે કે 18 એપ્રિલ બાદ પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી છે. નોંધનીય છે કે, એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે પોતાની વાત રજૂ કરી છે. સોશિયમ મીડિયામાં પોસ્ટમાં લખવામાં આવ્યું કે, અત્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે અને તેમને પૂછપરછ માટે આવવા માટે 7 દિવસનો સમય લાગશે. નોંધનીય છે કે, સાત દિવસ પછી પૂછપરછ માટે હાજર રહેશે તેવી પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)ના વકીલ દ્વારા SITને વિનંતી કરવામાં આવી છે.

Advertisement

પ્રજ્વલ રેવન્નાને કલમ 41(A) અંતર્ગત નોટિસ આપાઈ હતી...

ઉલ્લેખનીય છે કે, SIT દ્વારા પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)ને સીઆરપીસીની કલમ 41(A) અંતર્ગત નોટિસ આપી હતી. આ નોટિસ પ્રમાણે તેમને રૂબરૂ પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. અત્યારે આ નોટિસના જવાબમાં પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ પોતાના વકીલ મારફતે હાજર થવા માટે સાત દિવસનો સમય માંગતો એક પત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) બેંગલુરુની બહાર પ્રવાસ પર હતા અને તેમણે તેમને નોટિસ અંગે જાણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે મારા ક્લાયન્ટને બેંગલુરુ આવવા માટે 7 દિવસનો સમય છે અને નોટિસની જરૂર છે.

આ પણ વાંચો : DCW : દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી, જાણો શું છે કારણ…

આ પણ વાંચો : આ કોઈ મજાક નથી, આ હકીકત છે, PM મોદીને Shyam Rangeela આપશે ટક્કર, જાણો કેવી રીતે…

આ પણ વાંચો : US પોલીસે Goldy Brar વિશે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું…

Tags :
Advertisement

.