Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા

આજે કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા. જેઠ સુદ પૂનમના પર્વ પર ભારે હર્ષોલ્લાસ સાથે 108 કળશમાં જળ લઈ ભગવાન પર કરવામાં આવ્યું જળાભિષેક. ત્યારે જળયાત્રામાં જોવા મળી રથયાત્રાની ઝલક.  કોરોનાકાળ બાદ 2 વર્ષથી ખૂબ સાદાઈથી યોજાતી જળયાત્રા આ વર્ષે ધામધૂમથી નીકળી હતી. ભગવાન જગન્નાથની જળયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે. ભકતોની હાજરી સાથે ગ
કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા
Advertisement
આજે કર્ણાવતી નગરીમાં વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની નીકળી જળયાત્રા. જેઠ સુદ પૂનમના પર્વ પર ભારે હર્ષોલ્લાસ સાથે 108 કળશમાં જળ લઈ ભગવાન પર કરવામાં આવ્યું જળાભિષેક. ત્યારે જળયાત્રામાં જોવા મળી રથયાત્રાની ઝલક. 
 
કોરોનાકાળ બાદ 2 વર્ષથી ખૂબ સાદાઈથી યોજાતી જળયાત્રા આ વર્ષે ધામધૂમથી નીકળી હતી. ભગવાન જગન્નાથની જળયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે. ભકતોની હાજરી સાથે ગજરાજ, ભજનમંડળીઓ અને અખાડા સાથે ધામધૂમથી જળયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય થયું હતું. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં 108 કળશ અને ધ્વજ-પતાકા સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા હતા.
વહેલી સવારે જગન્નાથ મંદિરથી નીકળેલી જળયાત્રા ભૂદરના આરે પહોંચી હતી અને 108 કળશનું પૂજન કરાયુ હતું. સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું. નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું. ત્યારબાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. મંદિરમાં જળયાત્રા પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુરમાં 15 દિવસ માટે રહેશે. કોરોનાકાળ બાદ આ વર્ષે ભકતો સાથે રથયાત્રા નીકળવાની છે, તેવામાં તંત્ર પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થાય તેની તૈયારીમાં લાગી ગયું છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gandhinagar: શિક્ષણ સહાયકો ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર, વર્તમાન બેઠકોમાં વધારો કરાયો

featured-img
video

Fake Currency Expose in Gujarat: મની માર્કેટમાં નકલી માફિયાની એન્ટ્રી? આટલું સમજી લો.. સતર્ક રહો

featured-img
video

Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી

featured-img
video

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને

featured-img
video

Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

Trending News

.

×