મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુ દેવી દેવતાઓ વિરૂદ્ધ લખાયા અપશબ્દો, કડક કાર્યવાહીની કરી માગ
છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હિંદુ દેવી
દેવતાઓને લઈને અનેક વખત વિવાદ થઈ રહ્યા છે. વારંવાર હિંદુઓની આસ્થાને લઈને અસમાજીક
તત્વો દ્વારા ઠેર પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક હિંદુ
મંદિરોમાં હુમલાઓ થઈ રહ્યા છે તો ક્યાંક હિંદુઓની રેલીઓ પર પથ્થરમારો કરવામાં આવી
રહ્યો છે. ત્યારે આજે વધુ એક હિંદુ દેવી દેવતાઓને લઈને અપશબ્દો લખવાની ઘટના
પ્રકાશમાં આવી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નવો
વિવાદ ઉભો થયો છે. અહીં એક પ્રોફેસરે બળાત્કારના મુદ્દે કરવામાં આવેલી રજૂઆતમાં
હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો લખી છે. સોશિયલ મીડિયા પર સ્લાઇડની તસવીર સામે
આવ્યા બાદ AMU એડમિનિસ્ટ્રેશન અને મેડિસિન ફેકલ્ટીએ
આસિસ્ટન્ટ પ્રોફેસરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. પ્રોફેસર પર વિદ્યાર્થીઓ,
સ્ટાફ અને નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ
પહોંચાડવાનો આરોપ છે.