પતિએ પત્નીની હત્યા કરી ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, બાળકો નિરાધાર બન્યા
ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા દંપતીના પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે. સુરત એટલે ગુજરાતનું આર્થિક પાટનગર. ઉદ્યોગિક દ્રષ્ટિએ જે રીતે સુરતનો વિકાસ થયો છે કાલે અલગ-અલગ રાજ્યોમાંથી રોજીરોટીની આશા લઈને સુરત આવે છે. અનેક પરિવારો વચ્ચે આજે આ પરપ્રાંતિય પરિવારોમાં નાની-નાની બાબતે જે ગુનાખોરીનુàª
ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા દંપતીના પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે.
સુરત એટલે ગુજરાતનું આર્થિક પાટનગર. ઉદ્યોગિક દ્રષ્ટિએ જે રીતે સુરતનો વિકાસ થયો છે કાલે અલગ-અલગ રાજ્યોમાંથી રોજીરોટીની આશા લઈને સુરત આવે છે. અનેક પરિવારો વચ્ચે આજે આ પરપ્રાંતિય પરિવારોમાં નાની-નાની બાબતે જે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેને લઈને સરકારની ચિંતા પણ વધી રહી છે.
ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાની ઘરમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પરિવારમાં પત્ની અને બે બાળકો હતા પત્ની કંચન ઘરમાંથી મળી આવતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી. તપાસ કરતાં મહિલાની હત્યા થયા હોવાની વિગતો સામે આવી હતી. બીજી બાજુઆ મહિલાના પતિની શોધખોળ કરતા હતા ત્યારે નરસિંહ નામના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
માતા અને પિતા બંનેના મોતથી બંને બાળકો નિરાધાર બન્યા છે. સ્થાનિક લોકોની વાત માનવામાં આવેતો પતિ પત્ની વચ્ચે ચારિત્રને લઈને લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. પોલીસે આ મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement