Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan : Jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર

Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના...
rajasthan   jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક  200 300 મીટર વિસ્તારમાં અસર
Advertisement
  • Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ
  • અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના
  • ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો

રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો વાલ્વ તૂટી ગયો હતો, જેના કારણે 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો.

Advertisement

ઘટનાની જાણ થતાં જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પ્લાન્ટમાં ગેસ લીકેજને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લીક થવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં પ્લાન્ટમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Manipur હિંસા માટે સીએમ બિરેન સિંહે માંગી માફી, કહ્યું- 'આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું'

ઝેરી ગેસ લીકેજના કારણે 4 કર્મચારીઓના મોત થયા...

અન્ય એક સમાચારમાં, તાજેતરમાં, ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં સ્થિત કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસના લીકેજને કારણે ચાર કર્મચારીઓના મૃત્યુ થયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે ચારેયની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. કંપનીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને 30 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી. એમ. પાટીદારે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના ઉત્પાદન એકમમાં કામદારો પાઇપમાંથી ઝેરી ગેસ લીક ​​થવાને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા. મૃતકોની ઓળખ ભરૂચના રહેવાસી રાજેશ કુમાર મગંડિયા (48), ઝારખંડના અધૌરાના રહેવાસી મુદ્રિકા યાદવ (29) અને ઉત્તર પ્રદેશના સોનભદ્રના રહેવાસી સુચિત પ્રસાદ (39) અને મહેશ નંદલાલ (25) તરીકે થઈ છે.

આ પણ વાંચો : BPSC વિવાદ : કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યોની વિધાનસભાથી રાજભવન સુધી કૂચ

Tags :
Advertisement

Trending News

.

×