Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઋષિ કપૂરની પુણ્યતિથિ પર પુત્રવધૂ આલિયા ભટ્ટે સસરાને યાદ કર્યા

આજે ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ છે. આજના દિવસે અભિનેતાના પરિવારના સભ્યો અને ચાહકો તેમને ખૂબ મિસ કરી રહ્યા છે. આલિયાએ આ પ્રસંગે સસરા ઋષિ કપૂરને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે. સાથે જ પત્ની નીતુ કપૂર ભાવુક થયા છે, સાથે જ દીકરી રિદ્ધિમાએ થ્રોબેક ફોટો શેર કર્યો. સાથે જ આ સિવાય ડાન્સ દીવાને જુનિયરના સેટ પરથી પણ ઋષિ કપૂરને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પà«
ઋષિ કપૂરની પુણ્યતિથિ પર પુત્રવધૂ આલિયા ભટ્ટે સસરાને યાદ કર્યા
આજે ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ છે. આજના દિવસે અભિનેતાના પરિવારના સભ્યો અને ચાહકો તેમને ખૂબ મિસ કરી રહ્યા છે. આલિયાએ આ પ્રસંગે સસરા ઋષિ કપૂરને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે. સાથે જ પત્ની નીતુ કપૂર ભાવુક થયા છે, સાથે જ દીકરી રિદ્ધિમાએ થ્રોબેક ફોટો શેર કર્યો. સાથે જ આ સિવાય ડાન્સ દીવાને જુનિયરના સેટ પરથી પણ ઋષિ કપૂરને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે નીતુ કપૂર પણ હાજર હતી. તેમણે ઋષિ કપૂર વિશે વાત કરી.
આજે ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ છે. ઋષિ કપૂર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો આપણા હૃદયમાં જીવંત છે. ઋષિ કપૂરની પુણ્યતિથિ પર આજે પરિવારના સભ્યો અને તેમના ચાહકો તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે. તે જ સમયે, તેમની પુત્રવધૂ આલિયા ભટ્ટે પણ તેમના સસરાને યાદ કરીને તેમની સાથે એક જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટો ન્યૂયોર્કનો છે જ્યારે ઋષિ કપૂર ત્યાં સારવાર લઈ રહ્યા હતા. આલિયા તે સમયે તેમને મળવા આવતી હતી.
 

મુશ્કેલ સમયમાં  આલિયા નીતુ અને રણબીરનો મોટો સપોર્ટ બની
આ ફોટો શેર કરતા આલિયાએ લખ્યું, ઓલવેઝ એન્ડ ફોરેવર. ફોટોમાં ઋષિ કપૂર સાથે આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને રણબીર કપૂર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જ્યારે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા ત્યારે આલિયા તેમને ત્યાં મળવા જતી હતી. તે મુશ્કેલ સમયમાં તે નીતુ અને રણબીરનો મોટો સપોર્ટ બની હતી. સાથે જ ઋષિ કપૂર પણ ઈચ્છતા હતા કે આલિયા અને રણબીર જલ્દીથી લગ્ન કરે. તે આલિયા અને રણબીરના ભવ્ય લગ્ન વર્ષ 2020માં કરાવવા માંગતા હતા. પરંતુ કોરોનાના કારણે તે શક્ય બન્યુ ન હતું. લગ્ન  પહેલા જ ઋષિ કપૂરનું મોત નીપજ્યું હતું.

રણબીર તેના પિતાને ખૂબ જ મિસ કરે છે
તાજેતરમાં નીતુ કપૂરે પણ પતિ ઋષિ કપૂરને યાદ કર્યા અને કહ્યું કે એવો કોઈ દિવસ નથી જ્યારે તે તેના પતિને યાદ ન કરતી હોય. નીતુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રણબીર તેના પિતાને ખૂબ જ મિસ કરે છે. એવો કોઈ દિવસ નથી જ્યારે તે તેમને યાદ ન કરતો હોય. ઋષિ કપૂરનો ફોટો હજુ પણ તેમના મોબાઈલ સેવરમાં છે. એવા દિવસો પણ આવ્યા છે જ્યારે મેં રણબીરની આંખોમાં આંસુ જોયા છે. પરંતુ તે મજબૂત રહે છે. ઋષિ કપૂરના ગયા પછીના શરૂઆતના મહિનાઓ અમારા બધા માટે ખૂબ જ મુશ્કેલ હતા. અમે તો રડતા જ રહ્યા. નીતુએ એમ પણ કહ્યું કે તે અને બાળકો ઋષિ કપૂરની પુણ્યતિથિ પર દુઃખી થવા માંગતા નથી, પરંતુ તેની ઉજવણી કરશે. અમે આગળ વધી રહ્યા છીએ, પરંતુ અમે હજી પણ તેમને દરરોજ યાદ કરીએ છીએ.
Alia Bhatt, Rishi Kapoor, Ranbir Kapoor
Advertisement
Tags :
Advertisement

.