MUDA સ્કેમમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ક્લિન ચીટ, લોકાયુક્તે આપી મોટી રાહત
- MUDA સ્કેમમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ક્લિન ચીટ
- પોલીસે હવે કર્ણાટક હાઈકોર્ટમાં રિપોર્ટ સુપરત કર્યો
- કર્ણાટકના ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી
MUDA Scam Case News: મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત મળી છે. કર્ણાટકના ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગ લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી છે.આ કેસમાં લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.તમને જણાવી દઈએ કે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની સામેની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે.મૈસુર લોકાયુક્તે તેના તપાસ અહેવાલમાં સીએમ સિદ્ધારમૈયા અને તેમની પત્ની અને અન્ય આરોપીઓને ક્લીનચીટ આપી છે.
પુરાવાના અભાવે આ કેસ તપાસને લાયક નથી
આ કેસમાં સ્નેહમયીકૃષ્ણ ફરિયાદી હતા અને હવે લોકાયુક્તે તેમને નોટિસ ફટકારી છે. લોકાયુક્તે કહ્યું છે કે પુરાવાના અભાવે આ કેસ તપાસને લાયક નથી. હવે આ અંગે રિપોર્ટ દાખલ કરવામાં આવશે. સ્નેહમયી કૃષ્ણાને જારી કરાયેલી નોટિસ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે જો તેમને આ રિપોર્ટ સામે કોઈ વાંધો હોય, તો તેઓ નોટિસ મળ્યાના એક અઠવાડિયાની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો વાંધો નોંધાવી શકે છે. લોકાયુક્તના જણાવ્યા અનુસાર, આ કેસમાં 4 આરોપીઓ સામે કોઈ પુરાવા મળ્યા નથી. તેનો અંતિમ અહેવાલ હવે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
In the MUDA scam case, Karnataka Lokayukta Police says there is a lack of evidence against Accused 1 to 4 (Karnataka CM Siddaramaiah, his wife and others), issues notice to the complainant Snehamayi Krishna pic.twitter.com/BByxql0uvj
— ANI (@ANI) February 19, 2025
આ પણ વાંચો-Shivaji Jayanti: રાહુલ ગાંધીએ જાણીજોઇને ભૂલ કરી, શ્રદ્ધાંજલિ આપવા પર ભડક્યા એકનાથ
કર્ણાટક હાઈકોર્ટમાં રિપોર્ટ સુપરત કર્યો
કર્ણાટક લોકાયુક્ત પોલીસે હવે કર્ણાટક હાઈકોર્ટમાં રિપોર્ટ સુપરત કર્યો છે, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની બીએમ પાર્વતી અને અન્ય બે આરોપીઓને ક્લીનચીટ આપવામાં આવી છે. અન્ય બે આરોપીઓમાં સિદ્ધારમૈયાના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને જમીન માલિક દેવરાજુનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે મૈસુરના એક ઉચ્ચ કક્ષાના વિસ્તારમાં બીએમ પાર્વતીને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-Delhi New CM: મુખ્યમંત્રીની પસંદગી કરવા આ બે નેતાને સોંપાઈ જવાબદારી
cm પર વિપક્ષે આરોપ લગાવ્યો હતો
MUDA કૌભાંડનો મામલો ૩.૨ એકર જમીન સાથે સંબંધિત છે જે સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામી દ્વારા 2010 માં ભેટમાં આપવામાં આવી હતી. આ જમીન પાછળથી MUDA દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, ત્યારબાદ પાર્વતીએ વળતર તરીકે જમીનની માંગણી કરી હતી. એવો આરોપ છે કે તેમને 14 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જેની કિંમત બજાર દર કરતા ઘણી વધારે હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ સમયગાળા દરમિયાન 3000 થી 4000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.