Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રેઇનડેડ વ્યક્તિના હ્રદયનું પ્રત્યારોપણ, 38 વર્ષીય વ્યક્તિનું જીવન ધબકી ઉઠ્યું

સમગ્ર દેશ જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ અને ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાંતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બ્રેઇનડેડ અમિત તરુણભાઇ શાહના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય અમિતભાઇ શાહ ઉંચાઇ પરથી પડી જતાં સિવિલ હો
બ્રેઇનડેડ વ્યક્તિના હ્રદયનું પ્રત્યારોપણ  38 વર્ષીય વ્યક્તિનું જીવન ધબકી ઉઠ્યું
Advertisement
સમગ્ર દેશ જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ અને ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાંતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બ્રેઇનડેડ અમિત તરુણભાઇ શાહના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય અમિતભાઇ શાહ ઉંચાઇ પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 
સિવિલ હોસ્પિટલના તબીબો જ્યારે તેમના બ્રેઇનડેડ શરીરમાંથી અંગોના દાન માટે રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ ગયા અને અંદાજીત ૭ થી ૧૦ કલાકની મહેનત અને ભારે જહેમતના અંતે હ્રદય અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી.  બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હ્રદય, ફેફસા, નાનું આંતરડુ જેવા અંગોનું દાન મળવુંએ તબીબ જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. 
કારણે કે અંગદાનમાં મળતા ૯ અંગોમાંથી કિડની, લીવર જીવીત વ્યક્તિ પણ દાન કરી શકે છે પરંતુ હ્રદય , ફેફસા જેવા અંગો બ્રેઇનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ કુલ ૮૩ અંગદાનમાં ૧૩૬ કિડની, ૭૦ લીવર મળ્યા છે પરંતુ હ્રદયનું દાન મેળવવામાં ૨૨ કિસ્સામાં સફળતા મળી છે. 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિતભાઇ શાહના મળેલા હ્રદયના દાનને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ શહેરની સિમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ. સિમ્સ હોસ્પિટલના સર્જન ડૉ. ધિરેન શાહ પ્રત્યારોપણ થયેલ દર્દીની વિગતો આપતા જણાવે છે કે, અંગદાનમાં મળેલા હ્રદયને પાટણના ૩૮ વર્ષીય પુરૂષ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ૫ કલાકની અત્યંત જટીલ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં અમને સફળતા મળી છે. 
દર્દી ઘણાં લાંબા સમયથી હ્રદયની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા દર્દીને આ પીડામાંથી ઉગારવા અને પ્રત્યારોપણ માટે ઘણી સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
ગુજરાત

Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
ક્રાઈમ

રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

featured-img
અમદાવાદ

IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ

featured-img
ગાંધીનગર

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Trending News

.

×