Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dr. Bharat Kanabar : " જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ...."

અમરેલી ભાજપ અગ્રણી ડો ભરત કાનાબારનું તંત્ર પર વેધક ટ્વીટ નવા બનેલા રસ્તાઓ પર પડતા ખાડા અને ભૂવાથી લોકો પરેશાન માત્ર રસ્તાઓ તૂટતાં નથી તંત્ર પરનો ભરોસો તૂટે છે : ડો કાનાબાર જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં...
dr  bharat kanabar     જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ
  • અમરેલી ભાજપ અગ્રણી ડો ભરત કાનાબારનું તંત્ર પર વેધક ટ્વીટ
  • નવા બનેલા રસ્તાઓ પર પડતા ખાડા અને ભૂવાથી લોકો પરેશાન
  • માત્ર રસ્તાઓ તૂટતાં નથી તંત્ર પરનો ભરોસો તૂટે છે : ડો કાનાબાર
  • જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ ઉઠાવવો પડશે
  • મસમોટા પગાર લેતા એન્જીનિયરો અને કર્મચારીઓ કોઈ દંડ કેમ નહીં? સરકાર એમને પગાર શેનો આપે છે?
  • કોન્ટ્રાકટર ને દંડ થાય એ સમજ્યા, સુપરવિઝન કરતા સરકારી કર્મીઓ સામે પગલાં કેમ નહીં?
  • અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો ભરત કાનાબાર પ્રજા સમસ્યા માટે ટ્વીટ કરતા રહે છે

Amreli : અવાર નવાર ટ્વીટ કરીને પ્રજાની સમસ્યા ઉઠાવતા અમરેલી (Amreli) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ફરી એક ટ્વીટ કરીને નઘરોળ તંત્રનો કાન આમળ્યો છે. ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદમાં રાજ્યમાં ઠેર ઠેર રસ્તા તૂટ્યાં છે અને બ્રિજ ધરાશાયી થયા છે તથા બેદરકારીના કારણે પાણી ભરાયા છે તેને અનુલક્ષીને ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે માત્ર રસ્તા તૂટતાં નથી, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટ્યો છે.

Advertisement

ડો ભરત કાનાબારનું તંત્ર પર વેધક ટ્વીટ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે.

Amreli BJP leader Dr. Bharat Kanabar's tweet on corrupt government system

Amreli BJP leader Dr. Bharat Kanabar

Advertisement

આ પણ વાંચો----પાકિસ્તાન જેટલા Deep Depression એ 84 કલાક રાજ્યને ઘમરોળ્યું

એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી

તેમણે ટ્વીટમાં લખ્યું કે નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજ્યા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસમોટા પગાર લેતા એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી. તેમણે વેધક સવાલ કર્યો છે કે એમને સરકાર પગાર શેનો આપે છે.

Advertisement

જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે

ડો. ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું કે આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહીં, તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે..તેમણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે આપ મુઆ સ્વર્ગમાં ના જવાય...તેમ પોતાના હકોની લડાઇ તો લોકોએ જાતે જ લડવી પડશે....

ડો. ભરત કાનાબારનું આ ટ્વીટ નઘરોળ અને ભ્રષ્ટ સરકારી તંત્ર પર ચાબખા સમાન

ડો. ભરત કાનાબારનું આ ટ્વીટ નઘરોળ અને ભ્રષ્ટ સરકારી તંત્ર પર ચાબખા સમાન છે. આજે ભારે વરસાદથી ગુજરાતની સ્થિતી ખરાબ છે. અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ રસ્તા તૂટ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ ના થવાના કારણે રસ્તાઓ જળબંબાકાર છે, પુલો તુટ્યા છે અને સામાન્ય માણસ ઘરમાં બેસી લાચાર બનીને માત્ર મૂક પ્રેક્ષક બની રહ્યો છે.

આ પણ વાંચો--- Gujarat: સાચવજો..હજું ખતરો ટળ્યો નથી કારણ કે....

Tags :
Advertisement

.