Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dolo-650ના વેચાણ માટે 1000 કરોડની ભેટ વહેંચી,ચોંકી ઉઠી SC,કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા ડોકટરોને મળેલી ભેટ અંગેની પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જેને સાંભળીને ન્યાયાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પીટીશનમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ડોક્ટરો ગીફ્ટ લઈને દવાની સલાહ આપે છે, તેઓ પણ તેના માટે જવાબદાર હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, ડોલો-650 જે ઘણીવાર તાવમાં આપવàª
dolo 650ના વેચાણ માટે 1000 કરોડની ભેટ વહેંચી ચોંકી ઉઠી sc કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા ડોકટરોને મળેલી ભેટ અંગેની પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જેને સાંભળીને ન્યાયાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પીટીશનમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ડોક્ટરો ગીફ્ટ લઈને દવાની સલાહ આપે છે, તેઓ પણ તેના માટે જવાબદાર હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, ડોલો-650 જે ઘણીવાર તાવમાં આપવામાં આવે છે. કહેવાય છે કે આ દવાનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી બેંચે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. બેન્ચે સરકાર પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો છે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, આ સાંભળવું બિલકુલ સારું નથી. જ્યારે મને કોરોના થયો ત્યારે મને એ જ દવા લેવાનું કહેવામાં આવ્યું. આ બહુ ગંભીર બાબત છે. આ અરજી ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એસોસિએશન ઓફ ઈન્ડિયા વતી દાખલ કરવામાં આવી હતી. ફેડરેશન તરફથી હાજર રહેલા વકીલ સંજય પારિકે જણાવ્યું હતું કે, ડોલોએ ડોકટરોને રૂ. 1,000 કરોડની મફત ભેટ આપી હતી જેથી તેમની દવાનો પ્રચાર થઈ શકે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ પણ દરોડા પછી દાવો કર્યો હતો કે દવા ઉત્પાદક ઘણી અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. સીબીડીટીએ કહ્યું હતું કે 300 કરોડની કરચોરી પણ કરવામાં આવી હતી. એજન્સીએ કાનપીના 36 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો આ પ્રકારનું કામ કરવામાં આવશે તો દવાના વધુ પડતા ઉપયોગના કિસ્સાઓ તો વધશે જ પરંતુ તેનાથી દર્દીઓના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. આવા કૌભાંડોથી બજારમાં દવાઓના ભાવ અને બિનજરૂરી દવાઓની પણ સમસ્યા સર્જાય છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી દરમિયાન આવી દવાઓનો વધુ પડતો પ્રચાર કરવામાં આવ્યો હતો અને અનૈતિક રીતે બજારમાં સપ્લાય કરવામાં આવી હતી.અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો પરંતુ આજ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું કે જવાબ લગભગ તૈયાર છે. હવે આ મામલે 29 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે.
Advertisement
Tags :
Advertisement

.