'માં નર્મદા'ના આશીર્વાદથી કોંગ્રેસે કર્યો ચૂંટણી પ્રચારનો શંખનાદ, 101 બ્રાહ્મણો સાથે નર્મદાનું પૂજન કર્યું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જબલપુરથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. પ્રિયંકાએ સૌથી પહેલા ગ્વારીઘાટ ખાતે 101 બ્રાહ્મણો સાથે 20 મિનિટ સુધી નર્મદાની પૂજા કરી હતી. તેમની સાથે PCC ચીફ કમલનાથ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો, સમર્થકો પણ હાજર છે. પૂજા બાદ તે ચૂંટણી સભાને સંબોધશે. આ બેઠકમાં તે સંકલ્પ અભિયાન શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી 2018માં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આગળ વધારશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી નારી સન્માન યોજના, 500 રૂમાં ગેસ સિલિન્ડર લાગુ કરવાની જાહેરાત કરશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના નામ અને ચહેરા પર મોટી જાહેરાત કરીને ચૂંટણીની શરૂઆત કરી હતી.
#WATCH | Jabalpur, Madhya Pradesh: Congress general secretary Priyanka Gandhi Vadra arrives at Gwarighat and performs Narmada Pooja. pic.twitter.com/LglVEmUCWB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2023
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિ બદલી અને મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીને બદલે પ્રિયંકાને આગળ કરી તેની પાછળ એક મોટું કારણ છે. MP માં કોંગ્રેસ કમલનાથને હનુમાન ભક્ત તરીકે પ્રમોટ કરી રહી છે. આ સાથે જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. MP વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કમલનાથને હનુમાન ભક્ત તરીકે રજૂ કરવા અને પાર્ટીના સોફ્ટ હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH | Madhya Pradesh: Lord Hanuman's 'Gada' adorns city as posters welcoming Congress General Secretary Priyanka Gandhi Vadra are put up in Jabalpur. She will launch the election campaign & address a rally in Jabalpur today. pic.twitter.com/WGStY36G11
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2023
ASP સમર વર્માએ જણાવ્યું કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી જબલપુરમાં લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક રોકાશે. તેથી, તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ છે. તેમની સુરક્ષાને લઈને ખતરનાક ઈનપુટ પણ મળ્યા છે, જેના કારણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા ઉપરાંત પોલીસે તેમના કાર્યક્રમો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરી છે.
પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ આ હશે
શેડ્યૂલ અનુસાર પ્રિયંકા ગાંધી સોમવારે સવારે 10 વાગે વિશેષ વિમાન દ્વારા ડુમના એરપોર્ટ પહોંચશે. અહીંથી ગ્વારીઘાટ પહોંચ્યા બાદ મહાઆરતી દ્વારા મા નર્મદાનું પૂજન કરવામાં આવશે. આ સાથે ચૂંટણી પ્રચાર શરૂ થશે. તે ગોલબજાર શહીદ સ્મારક ખાતે સભાને સંબોધશે.
આ પણ વાંચો : IMDની ચેતવણી, વાવાઝોડું ‘બિપોરજોય’ અતિ પ્રચંડ બનશે, સાત રાજ્યોમાં ખતરો વધ્યો