Nagpur માં કેમ ફાટી નીકળી હિંસા, શું હતી અફવા, કેવી રીતે સળગ્યું શહેર, જાણો વિગતે
- અફવા ફેલાતા સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી
- CM દેવેન્દ્ર ફડણવીસની લોકોને શાંતિ જાળવવાની અપીલ
- સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા
Nagpur Violence : ઔરંગઝેબની કબરને હટાવવાના વિરોધમાં એક સંગઠનના વિરોધ દરમિયાન ધાર્મિક ગ્રંથને બાળી નાખવામાં આવ્યો હોવાની અફવા ફેલાતા સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસે મહલ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 15 લોકોની ધરપકડ કરી હતી. અગાઉ, પોલીસે મહલ વિસ્તારમાં ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું મુખ્યાલય છે. અધિકારીઓએ જણાવ્યું કે, મહલ બાદ હંસપુરી વિસ્તારમાં પણ અશાંતિની કેટલીક ઘટનાઓ નોંધાઈ હતી. અહીં પણ બદમાશોએ દુકાનોમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. તેમજ વાહનોને આગ ચાંપી દીધી હતી.
હાલમાં વહીવટીતંત્રે નાગપુર શહેરના ઘણા વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લગાવી દીધો છે. પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર કુમાર સિંઘલે જણાવ્યું કે, નાગપુર શહેરના કોતવાલી, ગણેશપેઠ, લક્કડગંજ, પચપાવલી, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઈમામવાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ આગામી આદેશો સુધી અમલમાં રહેશે.
Nagpur (Maharashtra) violence | Curfew has been imposed in the Police station limits of Kotwali, Ganeshpeth, Lakadganj, Pachpaoali, Shantinagar, Sakkardara, Nandanvan, Imamwada, Yashodhara Nagar and Kapil Nagar in Nagpur city. This curfew will remain in force until further… pic.twitter.com/N3CqzKcMv1
— ANI (@ANI) March 17, 2025
અનેક પોલીસકર્મીઓ ઘાયલ
તમને જણાવી દઈએ કે, મહલમાં અશાંતિ બાદ, સીઝ ઓપરેશનમાં ડેપ્યુટી પોલીસ કમિશનર નિકેતન કદમ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ પથ્થરમારાના શિકાર બન્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તાલાબ રોડ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
કેવી રીતે શરૂ થઈ હિંસા?
પોલીસના જણાવ્યા અનુસાર, હિંસા સોમવારે મોડી સાંજે શરૂ થઈ હતી જ્યારે બજરંગ દળના સભ્યોએ મહલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આંદોલન દરમિયાન ધાર્મિક ગ્રંથો બાળવામાં આવ્યા હોવાની અફવા ફેલાઈ હતી. બજરંગ દળના વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેના કારણે મુસ્લિમ સમુદાયના સભ્યોમાં રોષ ફેલાયો.
આ પણ વાંચો : Kanpur Cyber Fraud: યુવકની જાગૃકતાએ 'ઠગને ઠગ્યો', કહ્યું- PM મોદીની 'મન કી બાત'કામે લાગી
ધાર્મિક ગ્રંથો બાળવાના આરોપમાં સાંજે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, ફરિયાદ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો મહલ વિસ્તારના જુદા જુદા ભાગોમાં એકઠા થવા લાગ્યા. કટોકટીની અપેક્ષાએ, પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા હતા.
#WATCH | Nagpur (Maharashtra) violence: Police undertake combing operation in Mahal. Tensions broke out in Mahal area of Nagpur following a dispute between two groups.
Those involved are being identified and arrested. Section 144 has been imposed. Police have directed people… pic.twitter.com/PLg0HQRPjf
— ANI (@ANI) March 17, 2025
પોલીસકર્મીઓ પર પથ્થરમારો
એક અધિકારીએ જણાવ્યું કે, ચિટનીસ પાર્ક વિસ્તારમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેમણે કહ્યું કે, અન્ય વિસ્તારોમાંથી પણ હિંસાના સમાચાર સામે આવ્યા છે. જોકે, બજરંગ દળના અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે ફક્ત વિરોધના ભાગ રૂપે ઔરંગઝેબનું પુતળુ સળગાવ્યુ હતું.
સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારોમાં ક્વિક રિએક્શન ટીમ્સ (QRTs), રમખાણ નિયંત્રણ પોલીસ અને રાજ્ય રિઝર્વ પોલીસ દળ (SRPF) તૈનાત કરવામાં આવ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વધારાના પોલીસકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને હિંસા માટે જવાબદાર 15 લોકોની ધરપકડ કરી. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.
આ પણ વાંચો : PM મોદીએ તુલસી ગાબાર્ડને ભેટમાં આપ્યું મહાકુંભનું પવિત્ર જળ,મળી રિટર્ન ગિફ્ટ
પીડિતોએ પોતાની આંખોથી જે જોયું તે કહ્યું
હંસપુરીના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરેલા જૂથે સ્કાર્ફથી તેમના ચહેરા છુપાવ્યા હતા. તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો, સ્ટીકરો અને બોટલો હતી. તેઓએ હોબાળો મચાવવાનું, દુકાનોમાં તોડફોડ કરવાનું અને પથ્થરમારો કરવાનું શરૂ કર્યું. તેઓએ 8-10 વાહનોને પણ આગ ચાંપી હતી.
#WATCH | Nagpur, Maharashtra: A local from the Hansapuri area says, " They vandalised shops...they set fire to 8-10 vehicles" https://t.co/dulJLlh1kV pic.twitter.com/187EPOlWzC
— ANI (@ANI) March 17, 2025
હજારો લોકોએ પથ્થરમારો કર્યો
મહલમાં રહેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, હિંસા દરમિયાન તેમની કારને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના સોમવારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ બની હતી. 500 થી 1000 જેટલા લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો. અમારી કાર ઉપરાંત 25-30 જેટલા વાહનોમાં તોડફોડ કરી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, બદમાશો પથ્થરો લઈને અહીં-તહીં દોડી રહ્યા હતા. તેઓએ અમારા ઘરો પર અને બાળકો પર પણ પથ્થરમારો કર્યો. તેઓએ અમારા દરવાજા અને બારીઓ તોડી નાખી.
#WATCH | Nagpur (Maharashtra) violence: A local, Sunil Peshne, whose car was set on fire in the violence, says, "This incident happened around 8.30 pm. A mob of 500-1000 people pelted stones. They even torched our car...They vandalised around 25-30 vehicles." pic.twitter.com/hDqWICrWAI
— ANI (@ANI) March 17, 2025
શાંતિ જાળવવા અપીલ
દરમિયાન, સીએમ દેવેન્દ્ર ફડણવીસે શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું. એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ મહલ વિસ્તારમાં પથ્થરમારા અને તણાવપૂર્ણ પરિસ્થિતિને સંભાળી રહી છે. તેઓ સતત પોલીસના સંપર્કમાં છે અને તેમણે પોલીસને લોકોને સહયોગ આપવા પણ કહ્યું છે. તે જ સમયે, ગડકરીએ ફડણવીસના વિચારોનું સમર્થન કરતા લોકોને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી.
આ પણ વાંચો : Nagpur Violence : ઓરંગઝેબની કબરને લઈ 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો
નાગપુરના સાંસદ ગડકરીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, નાગપુરનો હંમેશા શાંતિનો ઇતિહાસ રહ્યો છે. હું મારા બધા ભાઈઓને શાંતિ જાળવવા અપીલ કરું છું. અફવાઓ પર વિશ્વાસ ન કરો અને રસ્તા પર ન ઉતરો.
#WATCH | Nagpur (Maharashtra) violence: Maharashtra CM Devendra Fadnavis says, "The manner in which the situation became tense in Mahal area of Nagpur is highly condemnable. A few people pelted stones, even at the Police. This is wrong. I am keeping an eye on the situation. I… pic.twitter.com/nBUqPv7D5U
— ANI (@ANI) March 17, 2025
કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું
દરમિયાન કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા હર્ષવર્ધન સપકાલે કહ્યું કે, સોમવારે નાગપુરમાં થયેલી હિંસા રાજ્યના ગૃહ વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. સપકાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીઓ જાણીજોઈને ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા છે. હિંસાને દુર્ભાગ્યપૂર્ણ અને ગેરવાજબી ગણાવીને સપકલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે નાગપુરમાં તમામ ધર્મના લોકો સુમેળથી રહે છે.
દેશના ઘણા જાતિવાદી માનસિકતા ધરાવતા નેતાઓ કેટલાક સમયથી ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે, જે વિવિધ સંપ્રદાયોને ઉશ્કેરવાનુ કામ કરે છે, નાગપુરમાં થયેલી આ ઘટના પણ આનુ જ પરિણામ છે. તો પણ સત્તાધારી સરકાર આવા લોકો વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકે તેમ નથી તેવુ સ્પષ્ટ જણાય છે. નેતાઓના હિંદુ-મુસ્લિમ એકતાને તોડવાના પ્રયાસોનુ જ આ પરિણામ છે. હવે જોવાનુ એ રહ્યું કે, બીજેપી આવા નેતાઓ પર લગામ લગાવશે ખરા. પણ આમા સમજવાનુ જનતાએ પણ છે કેમ કે આવા દંગાઓનો ભોગ ગરીબ કે સામાન્ય માણસ જ બનતો હોય છે.
આ પણ વાંચો : Andhra Pradesh માં 4000 કરોડનું દારૂ કૌભાંડ! SIT ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા